By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આગામી બેઠકમાં પણ સમાધાન પર સસ્પેન્સ:ખેડૂતનેતાએ કહ્યું- અમને ખબર છે, થવાનું કશું નથી;સરકારને ઉઘાડી પાડવા માટે બેઠકમાં જઈશું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આગામી બેઠકમાં પણ સમાધાન પર સસ્પેન્સ:ખેડૂતનેતાએ કહ્યું- અમને ખબર છે, થવાનું કશું નથી;સરકારને ઉઘાડી પાડવા માટે બેઠકમાં જઈશું
GeneralNational

આગામી બેઠકમાં પણ સમાધાન પર સસ્પેન્સ:ખેડૂતનેતાએ કહ્યું- અમને ખબર છે, થવાનું કશું નથી;સરકારને ઉઘાડી પાડવા માટે બેઠકમાં જઈશું

HM News
Last updated: 11/01/2021 6:19 AM
HM News
5 years ago
Share
SHARE

ગત શુક્રવારે ખેડૂતોની સરકાર સાથેની વાતચીત ફરી એક વખત નિષ્ફળ રહી હતી.હવે 15 જાન્યુઆરીએ ખેડૂતનેતા 9મી વખત કેન્દ્રીય મંત્રીઓને મળશે,પરંતુ આ બેઠકને લઈને પણ ખેડૂતનેતાઓમાં કોઈ ઉત્સાહ નથી અને લગભગ તમામ ખેડૂતનેતાઓ એવું માની રહ્યા છે કે આગામી બેઠક પણ નિષ્ફળ જ રહેશે.

આવી સ્થિતિમાં આ સવાલ ઉઠાવવો સ્વાભાવિક છે કે ખેડૂતનેતાઓને જ્યારે આ બેઠકોમાંથી સમાધાનની કોઈ આશા નથી તો તેઓ એમાં સામેલ શા માટે થઈ રહ્યા છે? આ પ્રશ્ન પર ખેડૂતનેતા જોગીન્દર સિંહ ઉગ્રાહાં કહે છે,”શહીદ ભગતસિંહને પણ આવા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે જ્યારે તમને કોર્ટ પાસેથી ન્યાય મળે એવી કોઈ આશા નથી તો પછી તમે દર તારીખે કોર્ટમાં કેમ જઇ રહ્યા છો,ત્યારે ભગતસિંહ જવાબ આપતા હતા કે અમે કોર્ટ એટલા માટે જઈ રહ્યા છીએ જેથી આખા દેશને જનતા સુધી અમારો અવાજ પહોંચી શકે.અમે પણ આ બેઠકોમાં એટલા માટે જ જઈ રહ્યા છીએ. ”

આ બેઠકો નિષ્ફળ જવા પાછળ સરકારને જવાબદાર ગણાવતાં ઉગ્રાહાં કહે છે,’વાતચીત અમારા કારણે નહીં, પણ સરકારને કારણે નિષ્ફળ થઈ રહી છે.અમારી માગ તો સીધી જ છે કે ત્રણેય કાયદાને રદ કરવામાં આવે,એના વગર અમે પરત નહીં જઈએ. અમે સરકારને આ અંગે ઘણી વાર જણાવ્યું છે,પરંતુ છતાં પણ તે અમને દર વખતે બોલાવે છે અને આ માગને સ્વીકારતી નથી.તેઓ આગલી વખતે પણ એ જ કરશે,પરંતુ અમે હજી પણ બેઠકમાં ભાગ લઈશું,જેથી સરકારને ઉઘાડી પાડી શકીએ.

ખેડૂતનેતા ગુરનામસિંહ ચઢુની પણ માને છે કે સરકાર સાથે થઈ રહેલી આ વાતચીત કોઈ સમાધાન શોધી રહી નથી અને 15 જાન્યુઆરીએ થનારી વાતચીત પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ થવાની છે. એ છતાં તેઓ બેઠકમાં સામેલ થવા માટે કહે છે,’સરકારે પહેલાં પણ આ આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક અમને ખાલિસ્તાની કહેવામાં આવતા, ક્યારેક આતંકવાદી કહેવામાં આવતા અને ક્યારેક અમને નકલી ખેડૂત કહેવામાં આવતા હતા. અમે અમારી તરફથી સરકારને ખેડૂતોને બદનામ કરવાની કોઈ તક આપવા માગતા નથી, તેથી જ અમે બેઠકમાં આવીએ છીએ.આવી સ્થિતિમાં સરકાર એવું કહી નથી શકતી કે અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ,પરંતુ ખેડૂતો પીછેહઠ કરી રહ્યા છે. એટલા માટે અમે જાણીએ છીએ તેથી જ અમે આગામી બેઠકમાં જઈશું અને એ દિવસે પણ સમાધાન થવાનું નથી.’

ખેડૂતોની સરકાર સાથે વાતચીત એટલા માટે અટકી ગઈ છે, કેમ કે ખેડૂતો કૃષિ કાયદાઓને રદ કરવા સિવાય માનવા માટે તૈયાર નથી અને સરકાર પણ આ કાયદાઓને રદ કરવા માટે તૈયાર નથી.એવામાં સરકાર સતત એ પ્રયાસ કરી રહી છે કે વાતચીત દ્વારા કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે.

શુક્રવારે મળેલી બેઠકમાં સરકારે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે ખેડૂતો જો ઇચ્છે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને ત્યાં આ કાયદાઓને પડકારી શકે છે.આ પ્રસ્તાવ અંગે અખિલ ભારતીય કિસાન સભાના નેતા મેજર સિંઘ કહે છે,”કોર્ટની ભૂમિકા કાયદાઓની સમીક્ષા કરવાનો અને કોઈ કાયદાનો નિર્ણય લેવાનો છે,પછી ભલે એ બંધારણના ક્ષેત્રમાં હોય. જો આપણે કાયદાઓની બંધારણીયતાને પડકાર નથી આપી રહ્યા તો કોર્ટમાં જઈને શું કરીશું. કાયદાને બનાવવા એ સરકારના અધિકાર ક્ષેત્રમાં છે,પરંતુ એ કાયદા ખેડૂતોના હિતમાં નથી,માટે અમારી લડાઈ સરકાર સાથે છે અને અમે જ્યારે આ લડાઈ જીતીશું નહીં ત્યાં સુધી સરકાર સામે લડતા રહીશું.’

સરકાર સાથે થઈ રહેલી વાતચીતને પણ આ જ લડતનો ભાગ માનતા ઉત્તરપ્રદેશના મોટા ખેડૂતનેતા રાકેશ ટિકૈત કહે છે,’સરકાર આ આંદોલનને નબળું પાડવા માટે તારીખ પર તારીખ આપી રહી છે. તેમનાથી થવાનું કશું જ નથી.બસ,લોકો તારીખનો ભાર ઉઠાવી રહ્યા છે. આગામી બેઠકમાં પણ આવું જ થશે.સરકારને લાગે છે કે આવું કરવાથી આંદોલન નબળું પડશે અને લોકોમાં એક સંદેશ આવશે કે સરકાર તો વાતચીત કરી રહી છે, પરંતુ ખેડૂતો સહમત નથી. અમે પણ એટલા માટે જ બેઠકનો ઇનકાર કરી રહ્યા નથી, કારણ કે અમે લોકોને જણાવવા માગીએ છીએ કે અમે અમારી માગણીઓ વિશે ખૂબ સ્પષ્ટ છીએ,પરંતુ સરકાર એ માટે સંમત નથી.’

જો આવી જ પરિસ્થિતિ જ રહેશે તો પછી વાતચીત કરવાનો મતલબ શું રહેશે અને આવું ક્યાં સુધી ચાલશે? આ સવાલ બાબતે રાકેશ ટિકૈત કહે છે,’અત્યારે આ જ સમજી લો કે આગામી બેઠકના બહાને અમે 26 જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડની રેકી કરીશું. એ દિવસે ખેડૂત કૂચ નીકળશે.ભલે સરકાર રાજી ન થાય તો આંદોલન ચાલતું જ રહેશે. અમે 2024 મે સુધી આ આંદોલનને ચલાવીશું,જ્યાં સુધી આ સરકારનો કાર્યકાળ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી.’

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના દુનિયામાં:જાપાનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો, બ્રાઝિલથી પહોંચ્યો; આ બ્રિટન અને સાઉથ આફ્રિકામાં મળેલા સ્ટ્રેન કરતાં અલગ
Next Article વિવાદ:અમદાવાદનાં પૂર્વ મેયર બીજલ પટેલે ભાંગરો વાટતાં કહ્યું,ચૂંટણીની તારીખ ભાજપ સંગઠન નક્કી કરે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up