અમદાવાદ : ઉંચા વળતરની લાલચથી લલચાઇ શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓ માટે લાલબત્તી સમાન એક કૌભાંડ બહાર આવ્યુ છે. એમસીએકસ (MCX) ટ્રેડિંગના નામે અનેક લોકો પાસે રોકાણ કરાવીને મસમોટો નફો આપવાની લોભામણી લાલચો આપીને ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકોએ રૂા. 2 કરોડની ઠગાઇ કરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે આ મામલે સીઆઈડી ક્રાઇમે 12 લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે વ્હાઇટ હાઉસમાં રહેતા અને હર્ષેદભાઇ દલસુખભાઇ પટેલ (ઉ.વ33)એ સીઆઇડી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી છે.
રોકાણકારોના નાણાંથી ટ્રેડિંગ
2017માં તેમના મિત્રો દ્વારા વિસનગરમાં વસંતનગર સોયાયટીમાં રહેતા ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ ગુરૂદેવ ઇન્વેન્સમેન્ટ નામની પેઢી ચલાવે છે,જેમાં એમસીએકસ (MCX) ટ્રેડિંગ કરી સારો નફો કરી રોકાણકારોને સારૂ વળતર આપે છે.આ કંપની કોપર,એલ્યુમિનિયમ, ક્રૂડ ઓઇલ વગેરેનુ ટ્રેડિંગ કરે છે. આ લોકો એજન્ટો દ્વારા રોકાણ કરાવીને રોકાણની રકમમાંથી ટ્રેડિંગ કરી છે.
કંપની અમદાવાદમાં નિકોલ અને વિસનગર,મહેસાણા અને પાટણ તથા બનાસકાંઠા સહિત ગુજરાતમાં ઓફિસો ખાલીને એજન્ટો નીમવામાં આવ્યા હતા.જેથી લાલચમાં આવીને ફરિયાદી તથા તેમના સગા સબંધી લોભામણી લાલચમા આવીને સહિત અનેક આ કંપનીમાં રૂા. 2,09,10,0000નું રોકાણ કર્યુ હતું.
જો કે લોકોના રૂપિયા મેળવ્યા બાદ કોઇપણ જાતનું વળતર નહી આપીને ધક્કા ખવડાવતા હતા અને બહાના બતાવતા હતા કે કંપનીના સેબીમાં 27 કરોડ ફસાયા છે તથા રૂા. 100 કરોડની લોનની કાર્યવાહી ચાલુ છે. આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમે ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ તથા તેમના પુત્ર આકાશ પટેલ અને ઉનાવાના હસમુખભાઇ પી.પટેલ તેમજ અલ્પેશ સુહાદગીયા અને તેમની પત્ની ભારતી બહેન સહિત 12 લોકો સામે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.