By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IRFC IPO:પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ,ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IRFC IPO:પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ,ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?
GeneralNational

IRFC IPO:પેહલા દિવસે 33% થયો સબ્સ્ક્રાઇબ,ક્યાં રોકાણકારો માટે નીવડી શકે છે લાભદાયક?

HM News
Last updated: 19/01/2021 4:13 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય રેલ્વેની સબ્સિડરી કંપની ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નો IPO 18 જાન્યુઆરીએ 33 ટકા સબ્સ્ક્રાઇબ થઈ ચુક્યોછે. IPO હેઠળ કંપનીએ 124.75 કરોડ શેર જારી કર્યા છે,અત્યાર સુધીમાં 50.97 કરોડ શેરની બોલી લગાવાઈ છે.કંપનીના એન્કર બુકને પહેલાથી જ રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

રિટેલ ઇન્વેસ્ટરો પણ કંપનીના IPOમાં ખૂબ રસ ધરાવે છે.બિડના પહેલા દિવસે રિટેલ વિભાગના 80 ટકા લોકોએ સબ્સ્ક્રાઇબ કર્યું છે.કર્મચારીઓ માટે અનામત પૈકી 2.5 વખત સબ્સ્ક્રાઇબ થયેલ છે.બિન-સંસ્થાકીય રોકાણકારો વિભાગમાં અત્યાર સુધીમાં 7.7 ટકા બિડ લગાવવામાં આવી છે,જ્યારે હજુ સુધી કોઈએ સંસ્થાકીય રોકાણકારોના વિભાગમાં બોલી લગાવી નથી.આ IPO હેઠળ 1,78,20,69,000 શેર જારી કરવામાં આવ્યા છે,તેમાંથી 1,18,80,46,000 ઇક્વિટી શેર નવા ઇશ્યૂ છે જ્યારે 59,40,23,000 ઇક્વિટી શેર ભારતના રાષ્ટ્રપતિ તરફથી વેચાઈ રહ્યા છે.50 લાખના શેર કર્મચારીઓ માટે અનામત છે.

IRFCનો ઇશ્યૂ પ્રાઈસ 18 જાન્યુઆરીએ ખુલ્યો છે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 25-26 રૂપિયા છે.કંપનીને તેમાંથી 46,00 કરોડ રૂપિયા ઉભા કરવાની આશા છે.આઈપીઓ પછી કંપનીમાં સરકારનો હિસ્સો ઘટીને 86.4 ટકા થશે.

IPO માં કેટલું રોકાણ કરવું પડશે
આ ઇસ્યુમાં ઓછામાં ઓછા 575 ઇક્વિટી શેર માટે બોલી લગાવવી જરૂરી રહેશે. વધુમાં વધુ 13 લોટ માટે આઈપીઓમાં પૈસાનું રોકાણ કરી શકાય છે.આઈઆરએફસીના આઈપીઓમાં ઇશ્યૂનો 50 ટકા હિસ્સો QIQ માટે અનામત છે.જ્યારે બિન-સંસ્થાકીય ખરીદદારો માટે 15 ટકા ANE રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત છે.

લાંબા ગાળાના રોકાણ માટે વધુ યોગ્ય
IRFCના IPOમાં રોકાણ કરવાનીનિષ્ણાંતો ભલામણ કરે છે.આ IPO લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ માટે વધુ સારો છે.નિષ્ણાતો માને છે કે બજારમાં પાછા ફરતા રોકાણથી ફાયદો IPO અને FPOને મળી રહ્યો છે.આ એક સારો સંકેત છે.IRFCએ એન્કર રોકાણકારો પાસેથી 1,390 કરોડ રૂપિયા ઉભા કર્યા છે.તેની સ્થાપના વર્ષ-1986 માં થઈ હતી.IRFC ઇન્ડિયન રેલ્વે માટે ડોમેસ્ટિક અને ઓવરસીઝ માર્કેટ (Overseas Markets)થી ફંડ એક્ત્ર કરવાનું કામ કરે છે.

ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે
વલસાડના ફાયર સ્ટેશનમાં તીનપત્તી રમવાની ફરિયાદ
કોરોના યોદ્ધાઓ સાથે અમાનવીય વ્‍યવહાર : ૯ કરોડના ફળ-શાકભાજી બગડી ગયા : પોલીસને ઠેર-ઠેર ‘પ્રસાદી’ આપવી પડે છે
મોદી-ટ્રમ્પની ઠેકડી ઉડાડનાર કોમેડિયન હસન મિન્હાજ વ્હાઈટ હાઉસમાં શો કરશે
બ્રિટીશ સાંસદ પ્રીતિ પટેલે યુક્રેનના નાગરીકો માટે શું જાહેરાતો કરી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત:ફૂટપથ પર સુતેલા શ્રમજીવી પરીવાર પર ડમ્પર ફરી વળ્યું,15ના મોત
Next Article ઇઝરાયલના ધર્મગુરુને એવો ડર છે કે કોરોના વૅક્સિન લોકોને ગે બનાવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up