[weather_data]
Breaking News
TRENDING NEWS

પાટણનાં મુસ્લિમ તબીબ દંપતીએ રામ મંદિર નિર્માણ નિધિમાં રૂ, 1.51 લાખ અર્પણ કર્યાં

[updated_date] [post_views]

Table of Content

પાટણ : અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નવનિર્માણના કાર્યમાં તમામ લોકો સહભાગી બને તેવા શુભ સંકલ્પ સાથે સમગ્ર ભારતભરમાં શ્રી રામ મંદિર નિર્માણ નીધી સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પાટણ શહેર અને જિલ્લામાં પણ શ્રી રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેને તમામ સમુદાય તરફથી સુંદર સહકાર મળી રહ્યા છે ત્યારે બુધવારના રોજ પાટણ શહેરના જાણીતા તબીબ ડોક્ટર હમીરભાઇ મન્સુરી અને તેમના ધર્મપત્ની દ્વારા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યમાં રૂ. એક લાખ ૫૧ હજારની માતબર રકમ અર્પણ કરી કોમી એખલાસની ભાવનાને ઉજાગર કરી છે. શ્રી રામ મંદિર નિર્માણ નીધી એકત્રીકરણ કાર્યમાં જોડાયેલા ડો. નિખિલ ખમાર,ભાનુભાઈ સોની,ભીખાભાઇ પટેલ, શૈલેષભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓએ ડો. હમીદભાઈ મન્સૂરી અને તેમના ધર્મ પત્નીએ રામ મંદિર નિર્માણ અર્થે આપેલી રાશિને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું.

લેખેન્દ્રવિજયજી મહારાજ સાહેબે રૂ.1.81 લાખની રકમ મંદિર નિર્માણમાં અર્પણ કરી

પાટણ જિલ્લાના જૈનતીર્થ શંખેશ્વર પાર્શ્વનાથ પદ્માવતી ખાતે પ.પૂ. લેખેન્દ્રવિજયજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શંખેશ્વર ખાતે આયોજિત કરાયેલા શ્રી રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણના આ શુભ પ્રસંગે પ.પૂ. શ્રી લેખેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે રૂ.૧,૮૧,૦૦૦ ની ધનરાશિ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે અર્પણ કરી ઉપસ્થિત

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles