[weather_data]
Breaking News
TRENDING NEWS

ખેડૂત આંદોલન / દિલ્હી કૃષિ આંદોલનને પગલે ગુજરાતમાં પણ આ ખેડૂત નેતાઓની થઈ અટકાયત

[updated_date] [post_views]

Table of Content

બનાસકાંઠામાં ખેડૂત આંદોલનને લઈને અટકાયત કરવામાં આવી છે.

બનાસકાંઠામાં ખેડૂત આંદોલનને લઈને અટકાયત
ખેડૂત સંગઠનો દ્વારા હાઇવે ચક્કાજામની ચીમકી
વિરોધ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત
બનાસકાંઠામાં ખેડૂત આંદોલનને લઈને અટકાયત કરવામાં આવી છે.ખેડૂત સંગઠનો દ્વારા હાઇવે ચક્કાજામની ચીમકી આપવામાં આવી છે. વિરોધ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવતા ખેડૂતોમાં આક્રમકતા વધી હતી.

ઘરેથી કરી અટકાયત

વી.કે.કાગ અને કાળુભાઇ તરકની અટકાયત કરવામાં આવી છે.બનાસકાંઠામાં ધાનેરા પોલીસે તેમના ઘરેથી તેમની અટકાયત કરી છે અને ગુજરાત બોર્ડર પર ચક્કાજામ ન થાય તે માટે જિલ્લા પોલીસ એલર્ટ પર છે.

ગીરસોમનાથમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ

કોડિનાર બાયપાસ રોડ પર ખેડૂતોનું ચક્કાજામ કરવામાં આવ્યું હતુ.દિલ્હીમાં આંદોલનના સમર્થનમાં ચક્કાજામ કર્યું.ચક્કાજામ કરવા જતા પોલીસે તમામની અટકાયત કરી છે.

આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે. જો કે ખેડૂતોએ દિલ્હી-NCRને આ ચક્કાજામથી બહાર રાખ્યું છે તેમ છતાં દિલ્હીમાં પોલીસ અલર્ટ પર છે. 26 જાન્યુઆરીના રોજ થયેલ હિંસાને લઇને આ વખતે પોલીસ કોઇ છૂટછાટ રાખવાના મૂડમાંથી નથી.

ગુરુગ્રામના કૃષ્ણચોકમાં ચક્કાજામ શરુ

ગુરુગ્રામના કૃષ્ણ ચોક પર ચક્કાજામ શરુ કરવામાં આવ્યું છે.કૃષ્ણ ચોક દિલ્હીના નજફગઢ અને કાપસહેડા સરહદ પર બે કિલોમીટરના અંતર પર સ્થિત છે.

અન્નદાતાનું શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિત માટેઃ રાહુલ ગાંધી

અન્નદાતાનું શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશહિતમાં છે.આ ત્રણેય કાયદા માત્ર ખેડૂત-મજદૂર માટે નહીં, જનતા તેમજ દેશ માટે પણ ઘાત છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કેમ ડરની દિવાલથી ડરાવી રહ્યાં છો?

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેમ ડરની દિવાલથી ડરાવી રહ્યાં છો?
ખેડૂત માટે ફરમાન

ખેડૂતના ચક્કાજામના આહવાનને ધ્યાનમાં લઇને દિલ્હી-ગાજીપુર સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ દરમિયાન બેરિકેડિંગ પણ કરવામાં આવી છે. જેના પર પોલીસ પ્રદર્શનકારી ખેડૂતો તરફથી એક સંદર લખીને લગાવામાં આવ્યો છે. જેના પર ખેડૂતોના પ્રવેશને લઇને મનાઇ કરી દેવામાં આવી છે.

જનપથ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ
મંડી હાઉસ, ITO, દિલ્હી ગેટ, લાલ કિલ્લા, જામા મસ્જિદ,જનપથ,કેન્દ્રીય સચિવાલય અને વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે.જો કે આ સ્ટેશન પર ઇંટરચેજની સુવિધા ચાલુ રાખવામાં આવી છે.

ટીકરી બોર્ડર પર ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર
ખેડૂતો દ્વારા ચક્કાજામના આહવાનને ધ્યાનમાં લઇને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ડ્રોન કેમેર તૈનાત કરવામાં આવ્યાં છે.

શાહજહાપુર બોર્ડર ભારે સુરક્ષાદળ તૈનાત
ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં આજે ચક્કાજામનું આહવાનને ધ્યાનમાં લઇને શાહજહાંપુર સરહદ પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત છે. ખેડૂત સંગઠન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.

દિલ્હી-NCRમાં 50,000 જવાન તૈનાત
દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારોમાં અંદાજે 50,000 સુરક્ષાદળ તૈનાત કર્યાં છે. જેમાં પોતાના વિસ્તારોમાં દેખરેખ રાખવા સ્થાનિક પોલીસ દળ પણ સામેલ છે. દિલ્હીમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનને અલર્ટ પર રાખ્યાં છે.
દિલ્હી-NCRમાં કેટલીક જગ્યા પર અર્ધસૈનિક દળ તૈનાત

ખેડૂતોના ચક્કાજામના આહવાનની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે દિલ્હી પોલીસની સહાયતા માટે દિલ્હી બોર્ડર સહિત દિલ્હી-NCRના અલગ-અલગ ભાગમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles