તિરૂવનંતપુરમ, તા. 25. ફેબ્રુઆરી : કેરાલામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે અલપ્પુજા જિલ્લામાં આરએસએસના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં આક્રોશ ભભૂકી ઉઠ્ય છે.મળતી વિગતો પ્રમાણે બુધવારે રાતે આરએસએસ અને મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આરએસએસ કાર્યકર નંદુનુ મોત થયુ હતુ.
પોલીસના કહેવા પ્રમાણે આ અથડામણમાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.જોકે પોલીસે આ અંગેની વધારે જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો.દરમિયાન કેરલ ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રને આ હત્યાની નિંદા કરીને મુસ્લિમ સંગઠન પીએફઆઈને જવાબદાર ઠેરવ્યુ છે.દરમિયાન પોલીસે આ કેસમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના 8 કાર્યકરોની ધરપકડ પણ કરી છે.દરમિયાન ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા આરએસએસ કાર્યકરની હત્યાના વિરોધમાં સમગ્ર વિસ્તારમાં આજે બંધનુ એલાન અપાયુ છે.જેની અસર પણ જોવા મળી રહી છે.આખા જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યો છે.
કેરળના અલાપ્પુઝા જિલ્લામાં બુધવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનું મોત નીપજ્યું હતું.પોલીસે આ માહિતી આપી હતી.પોલીસે જણાવ્યું હતું કે ચેરથાલા નજીકના નાગમકુલંગરા વિસ્તારમાં આરએસએસ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) વચ્ચેની અથડામણમાં સંઘના કાર્યકર નંદુનું મોત નીપજ્યું હતું.એસડીપીઆઈ ઇસ્લામિક સંગઠન પીએફઆઈનું રાજકીય એકમ છે.પોલીસના જણાવ્યા મુજબ,મૃતકની ઓળખ રાહુલ કૃષ્ણ ઉર્ફે નંદુ છે,જે વયાલારનો વતની છે.
પોલીસે જણાવ્યું હતું કે આ અથડામણમાં બીજા ઘણા લોકો પણ ઘાયલ થયા છે. કેરળ ભાજપ પ્રમુખ કે સુરેન્દ્રને આરએસએસ કાર્યકરના મોતની નિંદા કરી હતી અને પીએફઆઈને આ માટે દોષી ઠેરવ્યુ હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના કાર્યકર, નંદુ આર કૃષ્ણાની હત્યાના મામલે પોલીસે બુધવારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ) ના આઠ કાર્યકરોની ધરપકડ કરી છે.
ચેરથાલા પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરનારાઓમાં સુનીર, યાસીર, અબ્દુલ ખાદર, મોહમ્મદ અનાઝ, અનિલ, રિયાઝ, નિશાદ અને શબુદીન છે.પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા તમામ આઠ એસડીપીઆઈ કાર્યકરો છે.
બુધવારે રાત્રે જિલ્લામાં એક અથડામણ દરમિયાન એસડીપીઆઈ સભ્યો દ્વારા કથિત રૂપે આરએસએસના એક કાર્યકરની હત્યા કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને અન્ય સંગઠનોએ કેરળના અલાપ્પુઝા જિલ્લામાં 12 કલાકના બંધનું આહવાન કર્યું છે.
ભાજપના જિલ્લા પ્રમુખ એમ.વી.ગોપકુમારે જણાવ્યું હતું કે, ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોએ આ ઘટનાના વિરોધમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી અલાપ્પુઝા જિલ્લામાં હડતાલની હાકલ કરી છે.ગઈકાલે રાત્રે વાયલારના ચેરથાલામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ એસ.ડી.પી.આઈ.ના સભ્યો દ્વારા નંદુની હત્યા કરવામાં આવી હતી.

