શનિવાર,બુધવાર અને સોમવારના સાથે અમાસ તિથિ આવતા અમાસનું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે.શનિવારી અમાસ પિતૃ કાર્ય અને પિતૃનાં આશિર્વાદ મેળવવા માટે શાસ્ત્રો માં ઉતમ ગણવામાં આવે છે.પૌરાણિક ગ્રંથોના આધારે જોઇએ તો અમાસ ના દિવસે પિતૃઓ પોતાના વંશજોને મળવા જાય છે.શનિવારી અમાસ નાં દિવસે પિતૃ શ્રાદ્ધ કરાવું,તર્પણ કરાવું,બ્રાહ્મણ ભોજન કરાવવું ઉત્તમ ફળદાયી રહેશે.
આ અમાસના દિવસે ઉપવાસ અથવા તો એકટાણું રહેવું.સવારે વહેલા ઊઠીને નિત્યકર્મકરી માતા પિતાને વંદન કરવા ત્યારબાદ સુર્યને અર્ઘ્ય અર્પણ કરી પિતૃઓની.છબીને ચંદન નો ચાંલ્લો ચોખા કરવા ત્યારબાદ પિતૃ કાર્ય અથવા તર્પણ કરવું.
શનિવારી અમાસના દિવસે મહાદેવજીને દુધ,કાળાતલ,સાકર મિક્સ કરી ચડાવું આમ કરવાથી ગ્રહપીડા દુર થશે અને સર્વ શુભકામનાઓ પુર્ણ થશે.જે લોકોને શનિ ની નાની મોટી પનોતી ચાલી રહી છે.તેઓએ હનુમાનજી પર સરસવનું તેલ ચડાવવું, સરસવનાં તેલનો દિવો કરવો,અડદ ના ૧૧ દાણા ચડાવવા,તથા હનુમાન ચાલીસા નાં પાઠ કરવાથી પનોતી નાં અશુભ ફળ માંથી મુક્તિ મળશે.
શનિવારી અમાસના દિવસે પીપળાનું પૂજન કરી પીપળે પાણી રેડવું પણ.પિતૃઓ ને મોક્ષ આપે છે.આ દિવસે ગાયને ઘાસ નાખવું.ગરીબોને દાન આપવું પણ ઉત્તમ છે.શનિવારી અમાસના દિવસે જન્મ કુંડળીમાં રહેલ કાલસર્પયોગ,શ્રાપિતદોષ,વિષયોગ, ગ્રહણ યોગ,તથા પિતૃ કાર્ય કરવું વધારે ફળદાયક ગણાય છે.