ગાંધીનગર તા.24 : ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ અંદાજપત્રની ચર્ચાનો જવાબ આપતા એમ કહ્યું હતું કે જલ સે જીવન મિશન હેઠળ રાજયના બાકી વિસ્તારોમાં 2022 સુધીમાં ઘેર-ઘેર નળજોડાણથી પાણણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.2021-22માં પાણી યોજનાઓ માટે 3973 કરોડની જોગવાઈ છે.ઘેર-ઘેર પાણી આપવાની જલ સે જીવન યોજના હેઠળ 11.15 લાખ ઘરોને નળજોડાણ આપવાના લક્ષ્યાંકમાંથી 10.54 ઘરોમાં જોડાણ આપી દેવામાં આવ્યા છે.બાકીના વિસ્તારો માટે પણ કામ પ્રગતિમાં છે.તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્રની ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને નાવડા ચાવડા તથા બુધેલ બોરડા બલ્ક પાઈપલાઈન માટે નર્મદા આધારીત યોજનાઓ હેઠળ 65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા ભાવનગરના ઘોઘા,ગીર સોમનાથના વડોદરા ઝાલા,કચ્છના ગુંદીયાળી તથા દ્વારકાના ગાંધવી ખાતે ડીસેલીનેશન પ્લાન્ટ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.