સુરત : દિનબદિન કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરની બગડી રહેલી સ્થિતિ જોતા શુક્રવારે પાલિકા કમિશ્નર બછાનિધીપાનીએ કોરોનાના નવા સ્ટ્રેઈનની ઘાતકતા વિશે માહિતી આપતા લોકોને સાવધ રહેવા અપીલ કરી હતી.બીજી બાજુ પ્રવર્તમાન સંજોગો જોતા પાલિકા કર્મચારીઓની આગામી 30 એપ્રિલ સુધીની તમામ રજા રદ્દ કરી દેવાઈ છે.
કમિશ્નર બછાનિધીપાનીએ લોકોને અપીલ કરતા બાળકો અને ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું.બને ત્યાં સુધની ઘરની બહાર નહીં નીકળવા અને કોઈ મળવા આવે તો તે ટાળવા જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે,નવા સ્ટ્રેઈનનો વાઈરસ ખુબ ચેપી છે.અગાઉ કરતા ખુબજ ઝડપથી ફેલાય છે.અલગ અલગ સમયે મલ્ટીપીકેશન હોવાથી વાયરસ ઝડપથી ફેફ્સામાં પ્રવેશી શકે છે અને ફેફ્સામાં નિમોનિયા કરી શકે છે.નવા સ્ટ્રેઈનમાં લક્ષણ જુદા છે.ક્યારેક કફ અને તાવ હોતો નથી.પરંતુ કોરોના પોઝિટિવ હોય છે.ક્યારેક રેપીડ ટેસ્ટ નેગેટિવ હોય પણ તે પોઝિટિવ હોય શકે છે.ક્યારેક જોઈન્ટ પેઈન,વિકનેસ અને ખાવામાં ઇચ્છા નહીં થવા જેવા લક્ષણો દેખાય છે.જેને લીધે શારીરિક સ્થિતિ નબળી બની જાય છે અને નિમોનિયા થઈ શકે છે.અગાઉ નિમોનિયા પાંચ-સાત દિવસમાં થતો હતો,તે હવે ખુબ ઓછા સમયમાં થઈ રહ્યો છે.
લોકોએ પોતાની જ કાળજી લેવાની જરૂર છે.સોસાયટી કલબ બંધ કરવા જોઈએ અને અગત્યના કામ સિવાય બહાર નીકળવું નહી.વેક્સીન અચૂક લેવી જોઈએ.વેક્સીન લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું રહે છે.