– મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી
– મંદિરોમાં દર્શન કરવા માટે ઘરેથી ન નીકળવા અપીલ
સુરત : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા હતા.દર્શનાર્થીઓનો ધસારો જોતા કેટલાક મંદિરના સંચાલકો દ્વારા તાત્કાલિક અસરથી મંદિરો બંધ કરી દેવાની ફરજ પડી હતી.જેથી ભક્તોઓ માતાજીના બહારથી જ દર્શન કરી પરત ફર્યા હતા.
ચૈત્રી નવરાત્રિમાં સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ માતાના દર્શન કરવા માટે મંદિરોમાં જાય છે હિન્દુ શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યું છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જેની સાથે લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે.સુરતમાં માતાજીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર મોટા અંબાજી ખાતે વહેલી સવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.કોરોના સંક્રમણના ભય વચ્ચે ભક્તોનો ધસારો જોતાં મોટી અંબાજી બંધ કરવામાં આવી હતી.
પીપલોદમાં આવેલા અંબિકા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા પહોંચતા હોય છે.આજે પણ સવારે પારંપરિક દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારની આરતી રાબેતા મુજબ કર્યા પછી મંદિરના સંચાલકોએ નિર્ણય કર્યો કે વધુ લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે.જેથી મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી હતી.થોડા ઘણા જે ભક્તો હતા તેમને સંચાલકોએ વિનંતી કરી હતી કે તેઓ બહારથી જ દર્શન કરી લે ત્યારબાદ માત્ર ઓનલાઇન સ્ક્રીન ઉપર દર્શન કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભક્તો દર્શનાર્થે ન આવે તેવી તેવી વિનંતી કરી હતી.
શહેરના અલગ-અલગ મંદિરોમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને આવતા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખતા ચૈત્રી નવરાત્રિમાં આ મંદિરોમાં દર્શન કરવા માટે ઘરેથી ન નીકળે.લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરની બહાર નાની કરવાનું વિચારવું જોઈએ જેથી કરીને પોતે પણ સંક્રમિત થાવથી બચી શકે અને પોતાના પરીવારને પણ સુરક્ષિત રાખી શકે.


