By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શું કોર્ટને પણ સાચું બોલવાની સજા મળવા લાગી છે: સામના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શું કોર્ટને પણ સાચું બોલવાની સજા મળવા લાગી છે: સામના
GeneralNational

શું કોર્ટને પણ સાચું બોલવાની સજા મળવા લાગી છે: સામના

HM News
Last updated: 28/02/2020 11:45 AM
HM News
5 years ago
Share
SHARE

શિવસેનાના મુુખપત્ર સામનામાં જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર પર સવાલ ઉભા કરવામાં આવ્યા

એજન્સી, મુંબઈ

દિલ્હી હિંસાને લઈને ભડકાઉ નિવેદનબાજી કરનારા નેતાઓની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશના કેટલાક ક્લાક બાદ જ દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર અને દિલ્હી હિંસાને લઈને શિવસેનાએ ભાજપ પર નિશાન તાક્યું છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, કોર્ટને પણ સત્ય બોલવાની સજા મળવા લાગી છે કે શું?

સામનામાં લખવામાં આવ્યું છે કે, દિલ્હીની કાયદા-વ્યવસ્થા સ્પષ્ટ રીતે ધારાશાયી થઈ ગઈ છે. 1984ના તોફાનોની જેમ ભયંકર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એવી ટિપ્પણી જસ્ટિસ મુરલીધરે કરી હતી. જસ્ટિસ મુરલીધરે પ્રજાના મનના આક્રોશને એક અવાજ આપી. તમામ નાગરિકોને ઝેડ સુરક્ષા આપવાનો સમય આવી ગયો છે. એવી ટિપ્પણી જસ્ટિસ મુરલીધરે કરી અને આગામી 24 ક્લાકમાં જ મુરલીધરની ટ્રાન્સફરના આદેશ રાષ્ટ્રપતિ ભવનમાંથી આવ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોર્ટની આલોચના કરી તેના જ આ પરિણામ છે. સરકારે કોર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા સત્યને મારી નાંખ્યું. કોર્ટને પણ સત્ય બોલવાની સજા મળવા લાગી છે કે શું?

શિવસેનાએ દિલ્હી હિંસા દરમિયાન અમિત શાહની ભૂમિકા પર સવાલ ઉભા કરતા જણાવ્યું કે, દિલ્હી જ્યારે સળગી રહ્યું હતું, લોકો જ્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ક્યાં હતા? શું કરી રહ્યા હતા? જો કેન્દ્રમાં કોઇ અન્ય પાર્ટીની સરકાર હોત તો અત્યાર સુધી મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું હોત. ગૃહમંત્રીને નિષ્ફળ ગણાવીને તેમના રાજીનામાની માગણી કરવામાં આવી હોત.

સુરત કોર્ટમાં આજથી પોલીસ તથા વકીલોને હાજર રહેવામાંથી મુક્તિ
અમિતભાઇ શાહનો ઈશારો જ કાફી !! CMના બંગલે CR પાટીલ અને રૂપાણી વચ્ચે થઈ ચર્ચા : સરકાર અને સંગઠન એકજુથ થયા !
રિઝર્વ બેંક દ્વારા સ્ટીમ્યુલસ રૂપી પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
નીચા મથાળેથી ક્રિપ્ટોકરન્સી ફરી ઊંચકાઇ
મનસ્વી રીતે વાત ન કરી શકે નેતા, અધિકારોના ઉલ્લંઘન માટે કાર્યવાહી થઈ શકે : સુપ્રીમ કોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article અમિત શાહ જેવું ઈચ્છે છે તેવું NPR મહારાષ્ટ્રમાં લાગુ થશે નહીં: નવાબ મલિક
Next Article મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાન ખોલાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up