મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાન ખોલાશે

HM News
1 Min Read

એજન્સી, ભોપાલ

મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહિલાઓ માટે અલગથી દારુની દુકાન ખોલવાનો નિર્ણય લીધો છે. કમલનાથ સરકારનો પ્રયાસ છે કે મહિલાઓ પણ કોઈ પણ સમસ્યા વગર દારુ ખરીદી શકે.

પ્રાથમિક માહિતી અનુસાર શરુઆતમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં એક-એક દુકાન ખોલવામાં આવશે. આ તમામ દુકાનો પર વાઈન અને વ્હીસ્કીની એ બ્રાન્ડ ઉપલબ્ધ હશે, જે મહિલાઓ પસંદ કરે છે. આ દુકાનો મુંબઈ, દિલ્હી અને અન્ય મેટ્રો સિટીની પેટર્ન પર ખોલવામાં આવશે.

ક્વોલિટી સારી રહે એ માટે ફક્ત વિદેશી દારુ જ આ દુકાનો પર વેચવામાં આવશે. તેનો અર્થ છે કે એ બ્રાન્ડ પણ અહીયાં વેચવામાં આવશે, જે રાજ્યમાં રજીસ્ટર્ડ હોય.અધિકારીઓના કહેવા અનુસાર આ દુકાન પર વેચાતા દારુ પર વધારાની ટ્યુડી લગાવાશે નહીં, કેમ આ દારુ દેશમાં આવતા પહેલા જ તેના પર ડ્યુટી વસૂલાઈ ગઈ હોય છે. તેનાથી રાજ્યમાં મોંઘા દારુનો વેપાર વધશે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રટરી આઈસીપી કેશરીએ કહ્યું કે, આ દુકાન પર એ બ્રાન્ડનો દારુ પણ મળશે, જે હાલ મધ્યપ્રદેશમા મળતી નથી. આ દુકાનો મોલ્સ કે એવી જગ્યાએ ખોલવામાં આવશે, જ્યાંથી મહિલા સરળતાથી ખરીદી શકે.

રેવન્યુ વધારવા માટે અને સ્થાનિક બ્રાન્ડને જાણીતી કરવા માટે સરકાર ભોપાલ, ઈન્દૌર, ગ્વાલિયર અને જબલપુરમાં વાઈન ફેસ્ટિવલનું આયોજન પણ કરશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *