– રાત્રિના 10 વાગ્યા આસપાસ ઘેરાવ કરીને હત્યાને અંજામ અપાયો
સુરત : સુરત ઉધના રેલવે ટ્રેક નજીક બે મિત્રોને મધરાત્રે ચપ્પુના ઘા મારી પતાવી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.સાત જેટલા અજાણ્યા હત્યાના આરોપીઓએ સાથે મળી ડબલ મર્ડરને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર રીઢા અજય પાટીલ અને રવિ શર્માની હત્યા પાછળ જૂની અદાવત હોવાનું કહેવામાં આવે છે.સાથે જ પોલીસે હત્યારાના આરોપીઓને ઝડપી લીધાનું પણ કહેવાય છે. હોવાનું જાણવા મળ્યું છે.
કમલેશ ઠાકરે (મૃતક અજયનો ભાઈ) એ જણાવ્યું હતું કે, અજય ઉર્ફે શરદ આનંદ ઠાકરે ઉ.વ. 20 (રહે. જલારામ નગર નવાગામ) કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતો હતો.માતા-પિતા,ભાઈ-બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો.ગુરુવારની રાત્રે મિત્ર રવિ સાથે બહાર નીકળ્યો હતો.ત્યારબાદ મધરાત્રે તેની હત્યા કરી દેવાય હોવાનું જાણવા મળ્યું હતું.
7 જેટલા હત્યારાઓએ ઉધના રેલવે ટ્રેક નજીક બન્ને મિત્રોનો ઘેરાવ કરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતાં.અજય અને રવિનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી.હત્યા લગભગ રાત્રીના 10 થી 10: 30 વાગ્યાના અરસામાં કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બન્ને મિત્રોની હત્યા ઉધના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કરાઈ છે,અને ત્યારબાદ બન્ને મિત્રોને રેલવે ટ્રેક પર નાખીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો છે.જોકે હાલ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.સ્મીમેર હોસ્પિટલમાં બન્નેના મૃતદેહના પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ હત્યા બાબતે હકીકત જણાવે તેવું લાગી રહ્યું છે.