રાજ્યમાં ઓક્સિજન અને આરોગ્યની સ્થિતિ અંગે આજે કોંગ્રેસે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા DCGI એ એક ચેતવણી આપતો પત્ર બહાર પાડ્યો હતો.ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓકસીજનની જેમ દર્દીઓ માટે ઓકસીજન ની વ્યવસ્થા કરવામાં કહ્યું હતું
કોરોના મહામારી માં ઓકસીજન પ્લાન્ટ માટેના નવા લાઇસન્સની મંજુરી આપવા માટે કહ્યું હતું.ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.ત્યારે હવે ઓક્સિજનની અછતે અનેક લોકોના જીવ ગયા તેના માટે કોણ જવાબદાર તે મુદ્દો ઉઠાવ્યો હતો.ઓકસીજન અછત સામે ફૂડ એન્ડ ડ્રગ્સ જ જવાબદાર છે તેવું ઠેરવ્યું હતું.
વધુમાં ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં હોસ્પિટલમાં બેડ ની અછત વચ્ચે લોકો ને યોગ્ય સારવાર મળી રહી નથી.આજે ઓક્સિજની રાજ્યમાં અછત સર્જાઈ છે.રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં 66 મોત ઓક્સિજનના અભાવે થયા. 2020ની પાર્લામેન્ટની સ્ટેડિંગ કમિટી દેશની રાજ્ય સરકારો ને ધ્યાન દોર્યું હતું.2020 ની સ્ટેન્ડિંગ પાર્લામેન્ટરી કમિટીએ સરકારને ઓક્સિજન અંગે તાકીદ કરી હતી..
ભગવાન ભરોસે તમને બેડ મળી જાય તો પણ હોસ્પિટલ માં ઓક્સિજન નથી. જેમાં ઔદ્યોગિક એકમો સિવાય મેડિકલ ઓક્સિજન નો જથ્થો રિઝર્વ રાખવા કહ્યું હતુ.ઔદ્યોગિક એકમ માટે ઓક્સિજન તૈયાર કરનારને સરકારે પરમિશન ના આપી સરકારની પોલિસી પેરાલિસિસના કારણે આજે ઓક્સિજન મળી રહ્યું નથી.રાજ્યમાં 4 લાખથી વધુ કેસો દેશમાં 3જા નંબરનું રાજ્ય અત્યારે ગુજરાત છે. મૃત્યુ આંકમાં ગુજરાત રાજ્યના આંકડા વધારે છે.
ગુજરાતમાં ઔદ્યોગિક ગેસના એકમોના 10 જેટલા પ્લાન્ટ છતાંય અછત જોવા મળી રહી છે.ભાજપ સરકારની નીતિથી લોકો મોતના મુખમાં ધકેલાયા છે.શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી છે.રાજ્યમાં ઓક્સિજન ના અભાવે અછત ઉભી થઇ જેમાં સરકારનું આ ગુનાહિત બેદરકારી કહેવાય.