– સુરતને ઓક્સિજન પહોંચાડતી કંપનીઓ હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશન સરકારના આદેશથી ત્યાં પણ જથ્થો પહોંચાડે છે
સુરત : સુરતની જરુરીયાત મુજબ ઓક્સિજનના જથ્થાનું વધારે ઉત્પાદન કરવા માટે કંપનીઓ સક્ષમ નથી એ આજે કલેકટરે સ્પષ્ટ કર્યું હતું.સુરત શહેરમાં ઓકિસજનની સ્થિતિને લઇને સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે શહેરમાં જે ઓકિસજનની તકલીફો છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીશુ પરંતુ હાલમાં જે જે કંપની ઓકિસજનનું ઉત્પાદન કરે છે તે કંપની જેટલુ પ્રોડકશન કરી રહી છે તે પ્રોડકશનની સામે ઓકિસજનની માંગ ખૂબ વધી ગઇ છે.આ કંપનીઓ ઓકિસનનું વધારે ઉત્પાદન કરે તેવી કોઇ સ્થિતિ નથી.આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સરકારના આદેશથી આ કંપનીઓમાંથી ઓકિસજન સપ્લાય કરાતો હોવાથી સ્થિતિ ગંભીર છે.જામનગર રિલાયન્સમાંથી પણ હાલમાં ત્રણ ટેન્કરો સુરતમાં આવે છે.પરંતુ તે પણ પુરતા નથી.આગામી દિવસોમાં ઓકિસજનનું સંકટ ઘેરુ બને તેવી શકયતા છે.હાલમાં જે ૧૩૫ મેટ્રિક ટન જથ્થો સુરતમાં આવી રહ્યો છે.તેમાંથી સિવિલ અને સ્મીમેરને બાદ કરતા ૫૦ ટન જેવો જથ્થો બચે છે.આ જથ્થામાંથી હાલ ખાનગી હોસ્પિટલોને વિતરણ કરાશે.ટુકમાં સુરત શહેરને જે ઓકિસજનનો જથ્થો જોઇએ છે.તેટલા જથ્થો હાલની સ્થિતમાં મળી શકે તેમ નથી.


