By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
GeneralSurat

સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો

HM News
Last updated: 03/05/2021 8:06 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 13 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે અને જે લોકો નિયમોનું પાલન નથી કરતાં તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં સરકારી હોસ્પિટલોની બેદરકારી પણ સામે આવી છે.ત્યારે આવી જ એક ગુનાહિત બેદરકારી સુરત સિવિલ હોસ્પિટલની સામે આવી છે કે,જેમાં સુરત સિવિલ દ્વારા એક દર્દીને મૃત્યુ પામ્યા દસ દિવસ સુધી જીવતો બતાવવામાં આવ્યો હતો અને જેના કારણે પરિવારના સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં વૃંદાવન સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં મહારાનિદિન તિવારી તેમના પરિવારની સાથે રહે છે.મહારાનિદિન તિવારીને કોરોનાના લક્ષણો જણાવતા તેમનો પુત્ર સંજય તેમને 9 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો.ત્યારે તેમને સિવિલ હોસ્પિટલના દસમા માળે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 9 એપ્રિલ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા 12 એપ્રિલના રોજ મહારાનીદિન તિવારીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વાત પરિવારના સભ્યોને ખબર ન હતી.

મહારાનિદિન તિવારીના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર જઈને ખબર અંતર પૂછતાં હતા. હેલ્પ ડેસ્ક પરથી 22મી એપ્રિલ સુધી પરિવારના સભ્યોને મહારાનિદિનના તબિયતના સમાચાર આપવામાં આવતા હતા. 22 એપ્રિલ બાદ પરિવારના સભ્યો મહારાનિદિન તિવારીને મળવા માટે પૂછયા હતા.પરંતુ હેલ્પ ડેસ્ક પરથી બરાબર જવાબ આપવામાં આવ્યો ન હતો અને પરિવારના સભ્યોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા.

27 એપ્રિલ હોસ્પિટલમાંથી બરાબર જવાબ ન મળતા શુક્રવારના રોજ મહારાનિદિનના પુત્રએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે ફરિયાદ કરી હતી.ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા એક અજાણ્યા વ્યક્તિનો ફોટો સંજયને બતાવવામાં આવ્યો હતો. તેથી સંજયે આ વ્યક્તિ તેનો પિતા હોવાનું કહ્યું હતું.આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાનિદિનનું સારવાર દરમિયાન 12 એપ્રિલે રાત્રિના સમય મોત નીપજયું હતું પરંતુ ડૉક્ટર પાસે કેસ પેપર ન હોવાના કારણે આ બાબતે કોઈ તપાસ કરવામાં આવી નહીં.ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના PSI એસ.જી વસાવાને સોંપવામાં આવી છે.સંજએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ શનિવારે તેને પિતાનો મૃતદેહને મળ્યો હતો અને સિવિલ હોસ્પિટલ મોટી ઘોર બેદરકારી સામે આવી કહેવાય.

માનસિક તણાવમાં આવી યુવાને આપઘાત કરતા ખળભળાટ
દેશમાં ગરમી સંબંધિત જીવલેણ બીમારી વધવાનું જોખમ : નિષ્ણાતો
નશો કરવા કફ સિરપનો ઉપયોગ 477 બોટલ સાથે બે ઝડપાયા
ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ ફડણવીસ અડધી રાત્રે CM શિંદેને મળવા પહોંચ્યા
ડિયર બોરિસ જોનસન, તમે એક ફાઇટર છો : નરેન્દ્ર મોદી
Share This Article
Facebook Email Print
Previous Article ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’, તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Next Article ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up