[weather_data]
Breaking News
TRENDING NEWS

રેમડેસીવીર જાય છે કયાં ! સરકારી સપ્લાય ચેઈનમાં જ મોટી ગરબડ?

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ તા.3 : ગુજરાતમાં કોરોના હાલતમાં છેલ્લા બે દિવસથી મામૂલી રાહત છે.પરંતુ ગંભીર દર્દીઓને અપાતા રેમડેસીવીરમાં મોટું કૌભાંડ ચાલી રહ્યાની અને સરકારી સપ્લાય ચેઈનમાંથી જ તે ‘કાળાબજાર’માં ધકલાઈ જતા હોવાની આશંકા છે.રાજયમાં બે દિવસ પૂર્વે કોરોનાના નવા કેસ સર્વોચ્ચ સ્તરે હતા.બે દિવસથી આંશિક ઘટાડો થતા રાહત છે.નવા કેસોમાં સરેરાશ 15 ટકા ગંભીર માલુમ પડી રહ્યા છે તેઓને રેમડેસીવીર આપવાની જરૂર પડતી હોય છે.પરંતુ તેની અછત છે.કેન્દ્ર તરફથી ગુજરાત સરકારને દરરોજ 16500 વાયલ્સ આપવામાં આવે છે.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગંભીર સ્થિતિ ધરાવતા અને આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓને તે આપવામાં આવતા હોય છે.કોરોના સિવાય અન્ય ગંભીર બિમારી હોય,ઓકસીજન લેવલ નીચુ હોય અને અન્ય આરોગ્ય સમસ્યા હોય તેને અપાતા હોય છે.નવા જાહેર થતા કેસોમાં 15 ટકાથી વધુને આવી જરૂરિયાત હોતી નથી.હળવા લક્ષણો ધરાવતા તથા હોમ આઈસોલેટ અથવા કોવિડ કેરમાં રહેલા દર્દીને તેની જરૂર હોતી નથી.

14-14 હજાર કેસ સામે ગુજરાતને 16500 રેમડેસીવીર મળે છે. 15-20 ટકા દર્દીઓને તે અનિવાર્ય હોય તો બાકીના 12000 રેમડેસીવીર કયાં જાય છે? તે સવાલ છે.દરેક દર્દીને પ્રારંભીક પાંચ-છ દિવસમાં રેમડેસીવીર આપવામાં આવતા હોય છે.આવા દર્દી પાછળ દરરોજનો વપરાશ 4500 ઈન્જેકશનનો ગણવામાં આવે તો બાકીના ઈન્જેકશનનું શું થાય છે?કદાચ 50 ટકા દર્દીઓને રેમડેસીવીર આપવાની ગણતરી કરવામાં આવે તો પણ દરરોજ 5થી6 હજાર ઈન્જેકશન વધે છે.કેટલાંક વખતથી રાજયભરમાં રેમડેસીવીરની અછત છે.સરકારે વારંવાર નિયમો બદલ્યા હોવા છતાં કોઈ ફેર પડતો નથી.પોતાના સ્વજનને તે અપાવવા લોકોની રઝળપાટ દુર થઈ નથી ત્યારે વાસ્તવમાં રાજયને દરરોજ મળતા 16500 રેમડેસીવીર યોગ્ય હાથમાં જાય છે કે બારોબાર કાળાબજારમાં ધકેલાય છે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.બીનજરૂરી વપરાશ અટકાવીને સરકાર ભવિષ્યની જરૂરિયાતની શંકાને આધારે સ્ટોક કરી રહી છે? કેન્દ્ર તરફથી મોટી સપ્લાય મળતી હોવા છતાં અછતનું કારણ શું? કાળાબજારમાં ધકેલાઈ જતા હોવાની શંકા અસ્થાને નથી.કાળાબજારમાં કેવી રીતે પહોંચે છે અને સપ્લાય ચેઈનમાં કયાંથી ‘લીક’ થાય છે તે સવાલ છે?

નિષ્ણાંત તબીબોના કહેવા પ્રમાણે કાળાબજારમાંથી લોકો રેમડેસીવીર લઈ આવે છે તે મોટાભાગે અસલી જ હોય છે.જો કે અનેક કિસ્સામાં ઉત્પાદનની તારીખ અને બેચ નંબર હોતી નથી.અમુક ચોકકસ જાણકાર વર્ગ જ સામેલ હોવાની શંકા છે.કારણ કે ખુલ્લા ન પડી જાય તે માટે મહત્વની વિગતો ભુસી નાખવામાં આવે છે.હોસ્પીટલોને હવે સીધી કંપનીમાંથી મળતી નથી. સરકાર જ પુરા પાડે છે.તેનો સીધો અર્થ કાઢી શકાય કે સરકારી સપ્લાય ચેઈનમાં જ લીક છે.આ મહત્વના ઈન્જેકશન મામલે સરકાર પારદર્શકતા કેમ નથી રાખતી તે સવાલ છે.બેડના આંકડા જાહેર થાય છે તો રેમડેસીવીરના કેમ ન થઈ શકે.રેમડેસીવીરની એક વાયલ 899નો નિયત ભાવે છે.કાળાબજારમાં 15થી20 હજારમાં વેચાય છે તે ઘણું ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles