By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
GeneralSurat

સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ

HM News
Last updated: 03/05/2021 11:11 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરમાં થોડે ઘણે અંશે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે પરંતુ મહિધરપુરામાં ફરી એકવાર કામકાજ શરૂ થતા રહીશોએ વિરોધ કર્યો.રહીશોના વિરોધ બાદ પોલીસ સફાળી જાગી હતી. મહિધરપુરા હીરા માર્કેટમાં આજે સવારથી જ કેટલાક કારખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા.જેમાં સરકારે નક્કી કરેલા કરતા વધારે માણસોના સ્ટાફ બેસાડવામાં આવ્યો હતો.હીરા દલાલોએ ઓફિસ ખોલીને બેસી ગયા હતા. પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવા છતાં પોલીસે કોઇ નક્કર કામગીરી ન કરતા કારખાના ચાલી રહ્યા હતા.મહિધરપુરા હીરા બજારમાં રહેણાંક વિસ્તાર પણ સમાવિષ્ટ છે મોટી સંખ્યામાં લોકો અહીં રહેતા હોવાથી કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની દહેશત જ રહેતી હોય છે.સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતા પોલીસ દોડતી થઇ હતી.

સ્થાનિક રહીશોએ કારખાના બંધ કરવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો જોકે સ્થાનિક લોકોએ બંદોબસ્ત માટે મુકાયેલા પોલીસને પણ આડે હાથે લીધી હતી રહીશોના કહેવા મુજબ પોલીસ દ્વારા કારખાના બંધ કરાવવા માટે કામગીરી કરવાની જરૂર હતી તેને બદલે માત્ર બંદોબસ્ત માટે બેસી રહેતા હોવાનો રોષ વ્યક્ત કર્યો કારખાનામાં વધુ લોકો કામ કરતા હોય તે સમયે પોલીસે તાકીદે નજર કરીને કારખાનું બંધ કરાવવું જોઈએ.સ્થાનિકોનો રોષ પારખી જતાં બંદોબસ્ત માટે આવેલી પોલીસે તાત્કાલીક અસરથી કારખાના બંધ કરાવ્યા હતા.

મહિધરપુરા માર્કેટમાં કારખાનાઓ બેધડક રીતે શરૂ થઈ જવાની માહિતી મળતા કેમેરામાં કેદ કરવા ગયેલા કેમેરામેનને પણ કારખાનેદારોએ ધમકાવ્યો હતો.પોલીસે તટસ્થતાપૂર્વક પોતાની ફરજ બજાવવાની જરૂર છે.શહેરમાં સતત કોરોના સંક્રમણ ભાઈ હજુ ઓસર્યો નથી.તેવા સમયે તેમના આવા ઉદાસીન વલણના કારણે ફરી એકવાર કોરોના દહેશત જોવા મળી રહી છે.ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ જો યોગ્ય રીતે સરકારના નિયમોનું પાલન નહીં કરે તો શહેરમાં કોરોના સંક્રમણ થવાની કોઈ શક્યતા નથી.સૌથી વધુ લોકોની અવરજવર ડાયમંડ માર્કેટમાં અને ટેક્સટાઇલ માર્કેટોમાં જોવા મળે છે.કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડાયમંડ ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ સાથે બેઠકો કરીને ગંભીરતા વિશે ચર્ચા કરે છે.પરંતુ માર્કેટના સંચાલકો અને વિવિધ એસોસિયેશનો તેને ગંભીરતાથી ન લેતું હોય તેવું જણાઈ રહ્યું છે.

એર ઇન્ડિયા વેચવાના નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ હાઇકોર્ટમાં પડકાર્યો, ગુરૂવારે ચુકાદો
સુહાગરાતના દિવસે આવ્યો તાવ, લગ્નના 72 કલાક પછી જ કોરોનાથી વરરાજાનુ મોત
સુનિલ જાખડ અને કે.વી. થોમસ ઉપર અનુશાસનનો દંડ પ્રહાર
મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
નાઇજીરિયાની સ્કૂલ પર હુમલો, ૪૦૦ બાળકોનું અપહરણ
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના કાપોદ્રા નજીક બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવે એ અગાઉ યુવતીને લોકોએ બચાવી લીધી
Next Article સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up