– દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે તેમ જ કાચા મકાનો અને પતરા ઉડી શકે છે
– તૌકતે વાવાઝોડું ભાવનગર,પોરબંદર અને દીવથી ક્રોસ થશે
– વાવાઝોડાને પગલે શહેરમાં હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી
સુરત : ગુજરાતમાં આજે સાંજે તૌકતે વાવાઝોડું ટકરાઇ શકે છે ત્યારે સુરતના કલેકટરે કહ્યું છે કે દરિયામાં બે મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે.ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યું છે જેના પગલે સુરત તંત્ર પણ અલર્ટ મોડમાં આવી ગયું છે.તૌકતે વાવાઝોડાની દહેશને પગલે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.આ મુદ્દે સુરત કલેક્ટર ધવલ પટેલે કહ્યું હતું કે આવતીકાલે શહેરમાં ભારે વરસાદની આગાહી છે.જ્યારે દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે તેમ જ કાચા મકાનો અને પતરા ઉડી શકે છે.તેમણે કહ્યું હતું કે તૌકતે વાવાઝોડું ભાવનગર,પોરબંદર અને દીવથી ક્રોસ થશે.આ દરમ્યાન બની શકે છે કે અગર અને ઝીંગા તળાવોને નુકસાન થઇ શકે.ઝીંગા તળાવોમાંથી બધાને સલામત બહાર કાઢવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું.
હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
વાવાઝોડાને પગલે શહેરમાં હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. 1077 ટોલ ફ્રી નંબર ઉપર મદદ માટે ફોન કરી શકાશે તેવું સુરત કલેક્ટરે જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી 1372 લોકોનું સ્થળાંતરણ કરાયું છે.સુરતમાં ખાસ કરીને ચોર્યાસી,ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અસર થશે
તૌકતે સોમવારે સાંજે ગુજરાતને ટકરાશે
તૌકતે વાવાઝોડું અત્યંત પ્રચંડ વેગ સાથે ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે વાવાઝોડું બપોરે 12 વાગ્યે ગુજરાતના વેરાવળ બંદરથી આશરે 250 કિમી દૂર હતું તથા વાવાઝોડું ગુજરાતને ટકરાય ત્યારે પવનની ગતિ 155-165 કિમી/કલાક હોઇ શકે છે.પોરબંદરથી મહુવાની વચ્ચેથી સોમવારે સાંજે 8થી રાતના 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવી આશંકા છે અને છેલ્લા 6 કલાકથી આશરે 15 કિલોમીટર/કલાકની ઝડપથી વાવાઝોડાનું કેન્દ્ર આગળ વધી રહ્યું છે.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નં.નું સિગ્નલ આપવામાં આવ્યું છે.નોંધનીય છે કે વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામેગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસ સામે લડતા ગુજરાતના માથે વાવાઝોડાનું ખૂબ જ મોટું સંકટ આવીને ઊભું થયું છે ત્યારે આ વાવાઝોડાએ હવે ગતિ વધારી છે તેજીથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિ ગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે.આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે.હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે રાત્રે જ વાવાઝોડું ગુજરાતને ટકરાવાનું છે.ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
ગુજરાત માટે ચિંતાની વાત કહી શકાય કે વાવાઝોડાની ગતિ ખૂબ જ વધી રહી છે અને પ્રચંડ વેગ સાથે વાવાઝોડું હવે આજે રાત્રે જ આઠથી 11 વાગ્યાની વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે.ગુજરાતના પોરબંદરથી મહુવાની વચ્ચે આ વાવાઝોડું ટકરાશે જેમાં અત્યંત ભયંકર કહી શકાય તેમ 156થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
વાવાઝોડું પોરબંદર,અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે.વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે.વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.


