[weather_data]
Breaking News
TRENDING NEWS

ઇઝરાયલની એરસ્ટ્રાઇકમાં 213 પેલેસ્ટાઇનના લોકોના મોત, એકમાત્ર કોવિડ લેબ નાશ પામી

[updated_date] [post_views]

Table of Content

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે.હમાસ તરફથી ઇઝરાયલ પર રોકેટ દાગવામાં આવી રહ્યા છે,જવાબમાં ઇઝરાઇલ દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી રહી છે.આ બધું પેલેસ્ટાઇનના બીજા ભાગ એટલે ગાઝામાં થઈ રહ્યું છે. ઇઝરાઇલની એરસ્ટ્રાઇકમાં ગાઝાની એકમાત્ર કોરોના ટેસ્ટિંગ લેબ તબહા થઇ ગઇ છે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામિક જૂથ હમાસ સામેની ઇઝરાઇલની લડાઇ સામાન્ય લોકો પર અસર કરી રહી છે,રહેણાંક વિસ્તારોમાં ઇઝરાઇલી બોમ્બમારાથી અત્યાર સુધીમાં 213 પેલેસ્ટાનીઓ માર્યા ગયા છે,તેમા 61 બાળકો સામેલ છે.ઉપરાંત 1400થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

યૂનાઇટેડ નેશન (યુએન)એ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલી આ હિંસાને માનવીય આપદાનું નામ આપ્યું છે.યુએનનું કહેવું છે કે ઇઝરાઇલની એરસ્ટ્રાઇકના કારણે 40,000 પેલેસ્ટાઇનીઓને ઘર છોડવું પડી રહ્યું છે અને અંદાજે 2500 પેલેસ્ટાઈનના લોકો તેમના ઘર ગુમાવી ચૂક્યા છે.જોકે આ હિંસાથી પેલેસ્ટાઇનને જ નુકસાન નથી થયું.

ઇઝરાઇલથી મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો.હમાસે તાજેતરમાં દક્ષિણ એશકોલ વિસ્તારમાં રોકેટ દાગ્યા હતાં,જેમાં એક ફેક્ટરીમાં કામ કરતા બે થાઇ નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અગાઉ કેરળની એક ભારતીય મહિલા,જે ત્યાં નર્સ તરીકે કામ કરતી હતી, તે પણ હમાસના રોકેટ હુમલાની ઝપટમાં આવી હતી.

ઇઝરાઇલના એરસ્ટ્રાઇકમાં ગાઝા સ્થિત એકમાત્ર કોવિડ ટેસ્ટિંગ લેબ નાશ પામી છે.તેના કારણે પેલેસ્ટાઇનના લોકોની મુશ્કેલી વધી છે.ગાઝામાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે અને ત્યાં પોઝિટિવિટી રેટ અંદાજે 28 ટકાની નજીક છે.કોરોના દર્દીઓની સારવાર એવી હોસ્પિટલોમાં કરવામાં આવે છે,જેના પર 15 વર્ષથી ઇઝરાઇલની નાકાબંધી છે.અહીં દર્દીઓ મોટી સંખ્યામાં છે.

ગાઝાની વસ્તી લગભગ 2 મિલિયન હોવાનું કહેવાય છે.ઇઝરાઇલની એરસ્ટ્રાકના કારણે ગાઝાના ઘણા મકાનો નાશ પામ્યા છે.ગાઝા સિટીના 70 વર્ષીય નાઝમી અલ-દાહદૌહે જણાવ્યું છે કે તેમણે અમારા ઘરો તોડી પાડ્યા,પરંતુ મને ખબર નથી કે તેમણે અમને કેમ નિશાન બનાવ્યા.

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો હિંસક સંઘર્ષ 10 મેથી શરૂ થયો હતો,જ્યારે હમાસે ગાઝા પટ્ટી પરથી લગભગ 3500 રોકેટ છોડ્યા હતા.તેમાંથી મોટાભાગના રોકેટને ઇઝરાઇલના આયર્ન ડોમે હવામાં જ નષ્ટ કરી દીધા હતા,પરંતુ કેટલાક રોકેટ વસ્તીવાળા વિસ્તારમાં પડ્યા હતા,જેના કારણે વિનાશ સર્જાયો હતો.ત્યારથી જ ઇઝરાઇલ એરસ્ટ્રાઇક દ્વારા હમાસને જવાબ આપી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles