[weather_data]
Breaking News
TRENDING NEWS

વ્યારાના બિલ્ડર નિશિષ શાહ હત્યા પ્રકરણમાં ચાર આરોપીઓને 11 દિવસના રિમાન્ડ

[updated_date] [post_views]

Table of Content

– 80 હજારની સોપારીમાં આરોપીઓએ લાખો રૂપિયાની કાર નહેરમાં નાખી દીધી હતી હજી સુધી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

બારડોલી : તાપી જિલ્લાના વ્યારા ખાતે ગત 14મી મેના રોજ બિલ્ડર નિશિષ શાહ હત્યા પ્રકરણમાં તાપી પોલીસે પકડેલા ચાર આરોપીઓને કોર્ટે 11 દિવસના પોલીસ રિમાન્ડ આપતા સોપારી આપનાર નવીન ખટીક સહિતના અન્ય ત્રણ આરોપીને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રહેતા બિલ્ડર નિશિષ શાહની ગત 14મી મેના રોજ વ્યારા ખાતે એક કારમાં આવેલા ચારથી વધુ ઇસમોએ બેરહમી પૂર્વક તલવારથી રહેંસી નાખ્યો હતો આ ઘટનામાં સીસીટીવી કૅમેરાના ફૂટેજ તેમજ બારડોલીના મઢી સુરાલી નજીકથી નહેરમાંથી હત્યાના ગુનામાં વપરાયેલ ગાડી મળી આવ્યા બાદ ચોક્કસ કડી જોડી પોલીસે કારના માલિક સુધી પહોંચ્યા બાદ બારડોલીના મઢી ખાતે રહેતો સંજય ઉર્ફે ટીકલો ગોવિંદ રબારી તેમજ પ્રતિક ખામજીભાઈ ચુડાસમા,નવીન ઉર્ફે રવિ ચુડાસમા,પરિમલ જશવંતભાઈ સોલંકી (રહે બેઠેલ કોલોની, અંધારવાડી, વ્યારા)ની ધરપકડ કરી હતી.પોલીસે પ્રાથમિક તબક્કે નિશિષની હત્યા વ્યારાના તોરણ રેસિડેન્સી ખાતે રહેતા નવીન ભવરલાલ ખતીકે 80 હજાર રૂપિયાની સોપારી આપી હોવાનું જણાવી રહી છે. પરંતુ હજી સુધી નવીન પકડાયો ન હોય હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પોલીસ આ ગુનામાં નવીન તેમજ મુન્નો માલિયા તેમજ એક અજાણ્યા આરોપીને શોધી રહી છે.જેથી પોલીસે આ ગુનામાં પકડાયેલા આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી 11 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.

માત્ર 80 હજાર રૂપિયા જેવી નજીવી રકમમાં નિશિષની હત્યા કરવામાં આવે તે માની શકાય તેમ નથી

નવીન ભવરલાલ ખટીક વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે વ્યાજખોરી તેમજ પ્રોહિબિશનના ગુના નોંધાય ચૂક્યા છે.કયા કારણોસર નવીને નિશિષની સોપારી આપી તે હજુ જાણી શકાયું નથી.પોલીસ આગળ જે પ્રાથમિક કબૂલાત કરી છે તે વાત પણ ગળે ઉતરે તેમ નથી.માત્ર 80 હજાર રૂપિયા જેવી નજીવી રકમમાં નિશિષની હત્યા કરવામાં આવે તે માની શકાય તેમ નથી. 80 હજારની સોપારી સામે આરોપીએ લાખોની કાર નહેરમાં નાખી દીધી હોય આ વાત પણ તપાસનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles