By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઉવાચઃ વિપક્ષી તમામ રાજ્યો એક થઈ વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઉવાચઃ વિપક્ષી તમામ રાજ્યો એક થઈ વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે…
GeneralNationalPolitics

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ઉવાચઃ વિપક્ષી તમામ રાજ્યો એક થઈ વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે…

HM News
Last updated: 24/05/2021 7:17 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા તેમના ટ્વીટ્સ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.આ વખતે ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તમામ બિન-ભાજપ શાસિત રાજ્યોને કોરોના વાયરસ વેક્સિનનાં અભાવ અંગે સલાહ આપી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ બિન ભાજપ શાસિત રાજ્યોને વેક્સિનની અછત માટે એક સાથે આવવાની સલાહ આપી છે.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગોતરી ચેતવણી આપવી જોઈએ કે કોવિડ-19 વેક્સિનનો પુરતો પુરવઠો ન હોવાને કારણે તમામ બિન-ભાજપ શાસિત રાજ્યો એક થઈ શકે છે. સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે વિપક્ષી તમામ રાજ્યો એક થઈને વિદેશની વેક્સિનનો આદેશ આપે અને તેનું બિલ મોદી સરકારને મોકલે.સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મોદી સરકારને ચેતવણી આપવી જોઇએ કે, રસીનાં પુરતા પુરવઠાનાં અભાવથી નિરાશ તમામ બિન-ભાજપ રાજ્યો,એક સાથે આવીને વિદેશોથી જથ્થાબંધ ઓર્ડરમાં રસી માટે વાટાઘાટ કરશે અને તેનું બિલ કેન્દ્ર સરકારને મોકલી શકે છે. મોદી સરકાર આ બિલને રાજકીય રીતે ચૂકવવાનો ઇનકાર કરી શકે તેમ નથી.’

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે અને તેમને વિદેશથી સીધા જ રસીનાં જથ્થાબંધ ઓર્ડર લેવાનું કહ્યું છે.આ દિશામાં દિલ્હી,પંજાબ સહિત ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યોએ રસી માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યા છે.દિલ્હી,ઝારખંડ,પંજાબ,રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કહ્યું છે કે તેમના રાજ્યમાં રસીનો અભાવ છે અને જેના કારણે તેઓ 18+ લોકોની રસીકરણ ઝુંબેશ બંધ કરી રહ્યા છે.દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ પણ કોવિડ-19 રસીની અછત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.

સુરત જિલ્લામાં કોરોનાનો બૉમ્બ ફૂટ્યો : બપોર સુધીમાં નવા 96 કેસ નોંધાયા
બલેશ્વરમાં રાત્રી દરમિયાન ગેલેરીમાં સુતેલી 5 વર્ષીય બાળકીનું નીચે પડી જતા મોત
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધમાં ઉતરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ પકડમાં, અમિત ચાવડાની અટકાયત કરાઈ
રૂપાણી સરકાર ટીપી જાહેર કરે છે પરંતુ સર્વેયરો ક્યાં છે? પૂરતો સ્ટાફ નથી
ભારત બંધ : વડોદરામાં કોંગ્રેસનું પ્રદર્શન, નેશનલ હાઈવે અને ભરૂચ-દહેજ હાઈવે પર સળગાવાયા ટાયરો
Share This Article
Facebook Email Print
Previous Article પ્રલય આવવાનો કોઈ સંકેત? આ મંદિરમાં ભગવાનની પ્રતિમા સાથે ઘટી રહ્યું છે ‘અજુગતું’
Next Article ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી પોલીસને શંકાસ્પદ ગાડીમાંથી સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up