લખનૌ,તા. ૨૪: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે.બીજી બાજુ વેકિસનેશનની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલુ છે.સરકાર પ્રયત્ન કરી રહી છે કે, ગામડાના દરેક લોકોને પણ રસી મળી રહે.દરેક ગામડે વેકિસન આપવાનું કામ યુદ્ઘના ધોરણે ચાલી રહ્યું છે.પરું ગામડામના લોકોમાં વેકિસન બાબતે માહિતીનો અભાવ છે એટલે તેઓ વેકિસન લેવા તૈયાર નથિ હોતા.વેકિસનેશનની પ્રક્રિયા દરમિયાન ઉત્ત્।રપ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામમાં વિચિત્ર બનાવ બન્યો છે.વેકિસન લેવાતી મરી જવાશે એવું માનીને ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા હતા.
બારાબંકી જિલ્લા મુખ્યાલયથી ૭૦ કિલોમીટર દૂર તરાઈમાં ૧૫૦૦ માણસોની વસ્તીવાળું ગામ છે સિસોડા.રવિવારે જયારે સ્વાસ્ત્ય વિભાગની ટીમ અહીં વેકિસનેશન માટે પહોંચી તો ગામના લગભગ ૨૦૦ લોકો વેકિસનના ડરથી ભાગીને સરયૂ નદીના કાંઠે પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમ જયારે નદી કિનારે પહોંચી તો તે લોકો નદીમાં કૂદી પડ્યા હતા.જો કે સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેઓને સમજાવીને નદીમાંથી બહાર કાઢ્યા હતા.
સિસોડા ગામમાં વેકિસનના નામથી પહેલેથી જ લોકોમાં ભય હતો.વેકિસન આપવા ટીમ આવવાની છે એવું સાંભળીને લોકો પહેલેથી જ સરયૂ નદીના કાંઠે જઈને બેસી ગયા હતા.સ્વાસ્થ્ય વિભાગની ટીમને આ માહિતી મળતા તેઓ નદી પાસે લોકોને સમજાવવા ગયા હતા.પણ ગ્રામજનોએ ટીમને તેમની તરફ આવતા જોઈને ગભરાઈ ગયા હતા.ભાગવાનો બીજો કોઈ રસ્તો ન મળતા તેઓ જીવની ચિંતા કર્યા વગર સરયૂ નદીમાં કૂદી પડ્યા હતા.આ દ્રશ્ય જોઈને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પણ પછી તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.જોકે, ગ્રામજનો નદીમાંથી બહાર આવવા તૈયાર જ નહોતા.કલાકોની મહેનત બાદ તેઓ સમજાવીને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.પરંતુ તેમ છતા લોકો વેકિસન લેવા તૈયાર નહોતા. ૧૫૦૦ લોકોમાંથી માત્ર ૧૪ લોકોએ વેકિસન લીધી હતી.