[weather_data]
Breaking News
TRENDING NEWS

સૈન્ય તખ્તાપલટ બાદ હવે મ્યાનમારમાં ગૃહયુદ્ધની આશંકા : વિદ્રોહીઓના હુમલામાં ૪૦ સૈન્ય જવાનોના મોત, ૪ ને બંધક બનાવાયા

[updated_date] [post_views]

Table of Content

મ્યાનમારની લોકતાંત્રિક સરકારને હટાવી સત્તા પર કબજો કરનાર સેના હવે લોકોના રોષનો ભોગ બની રહી છે.વિરોધીઓનો અવાજ ગોળીઓથી દબાવવાનો પ્રયાસ કરતા સેનાને લોકોના હિંસક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.એક અહેવાલ અનુસાર, કાયા રાજ્યમાં સ્થાનિક વિદ્રોહીઓની કરેન્ની પીપુલ્સ ડિફેન્સ ફોર્સ સાથેના સંઘર્ષમાં સેનાના 40 સૈનિકોના મોત થયા છે,જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

– સૈન્ય તખ્તાપલટ બાદ હવે મ્યાનમારમાં ગૃહયુદ્ધની આશંકા
– વિદ્રોહીઓના હુમલામાં ૪૦ સૈન્ય જવાનોના મોત
– ૪ ને બંધક બનાવાયા
– વિદ્રોહીઓએ મોબાય પોલીસ સ્ટેશનને કબજામાં લીધુ

ગૃહયુદ્ધની આશંકાથી ભયભીત લોકોએ પલાયન શરૂ કરી દીધું છે.મ્યાનમારની સેનાએ સામાન્ય નાગરિકોના ઘરો પર ગોળીબાર કરતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.વિદ્રોહીએ મો બાય પોલીસ સ્ટેશનને પોતાના કબજામાં લીધું હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.મ્યાનમાર સેનાના 4 જેટલા સૈનિકોને બંધક બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.ઘણા સ્થાનિક યુવાઓએ જણાવ્યું કે, તેઓ વિરોધ કરી ધરપકડનો સામનો કરવાને બદલે વિદ્રોહ કરી શહીદ થવાનું પસંદ કરશે.’

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles