By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનનું પાપ છાપરે ચઢીને પોકાર્યુ, ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે વકીલોનાં મોરચાની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનનું પાપ છાપરે ચઢીને પોકાર્યુ, ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે વકીલોનાં મોરચાની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા
GeneralInternational

ચીનનું પાપ છાપરે ચઢીને પોકાર્યુ, ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર મુદ્દે વકીલોનાં મોરચાની આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા

HM News
Last updated: 11/06/2021 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

ચીનમાં વકીલોના એક સમુહે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં અરજી કરી છે અને તે માટે જરૂરી પુરાવા પણ રજુ કર્યો છે.કોરોના કાળમાં હંમેશા ચર્ચામાં રહેલું ચીન વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે,ચીનનાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વકીલોના જૂથે હેગની એક અદાલતને ચીનના ઉઇગર મુસ્લિમો પરના અત્યાચારની તપાસ શરૂ કરવા વિનંતી કરી છે.મહત્વપૂર્ણ છે કે, ચીન આ કોર્ટનો સભ્ય નથી.

ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર થયેલા ત્રાસ અંગેનું સત્ય આખી દુનિયાથી છુપાયેલું નથી.આ અગાઉ પણ ચીનના સોફટવેર એન્જિનિયરે મોટો ખુલાસો કર્યો હતો કે, દેશના સિંજીયાંગ ક્ષેત્રમાં ઉઇગુર મુસ્લિમોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા સિસ્ટમ્સને આધારે ચહેરાની તપાસ કરવામાં આવી હતી.

વકીલોએ તેમના નિવેદનમાં કહ્યું છે કે, પુરાવા સાબિત કરે છે કે ચીન દ્વારા ઉઇગર મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેને ચીન દ્વારા જેલમાં રાખવામાં આવ્યા હતા.ઉપરાંત તાજિકિસ્તાનથી ચીનના પશ્ચિમ ઝિંજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોને પ્રત્યાર્પણ કરાયા હતા.

વકીલોના સમુહોએ દલીલ કરી હતી કે , તાજિકિસ્તાનમાં ચીની સત્તાવાળાઓ સીધા હસ્તક્ષેપ કરે છે.આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતને આ આરોપો પર સુનાવણી કરવાનો અધિકાર છે.આઈસીસીના વકીલોએ વિલંબ કર્યા વિના આ ગંભીર આરોપોની તપાસ કરવા જણાવ્યું હતું.વધુમાં વકીલોએ જણાવ્યું હતું કે, તેમના અહેવાલ આઇસીસીના સભ્ય તાજિકિસ્તાન સહિત વિવિધ દેશોના સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે છે.

આ ઉપરાંત એક સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાને કારણે,ચાઇના ઉઇગુર મુસ્લિમોની વસ્તી પર અત્યાચાર કરી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય ગુનાહિત કાયદાના નિષ્ણાંત વકીલ એરિન રોઝનબર્ગે લખ્યું છે કે,” ઉઇગુર મુસ્લિમોનો જન્મ દર બંધ કરીને ચીન ઉઇગુર સમુદાયનો નરસંહાર કરે છે.” વિશ્વના ઓછામાં ઓછા પાંચ દેશોની સરકારો પણ એવું જ માને છે.

મહત્વપૂર્ણ છે કે,આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતને આ આરોપો પર સુનાવણી કરવાનો અધિકાર છે,ત્યારે વકીલોએ આઈસીસીને વિલંબ કર્યા વિના આ ગંભીર આરોપોની તપાસ કરવા જણાવ્યું છે.વધુમાં વકીલોએ જણાવ્યું હતું કે,તેમના અહેવાલ અને પુરાવા આઇસીસીના સભ્ય તાજિકિસ્તાન સહિત વિવિધ દેશોના સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે છે.

પયગંબર મોહમ્મદની પુત્રી પર બનેલી ફિલ્મ પર બબાલ : બ્રિટને મસ્જિદના ધર્મગરૂ સામે ઉઠાવ્યું આ પગલું
રાજભવન કાવતરાંનો અડ્ડો બનવું ન જોઈએઃ સંજય રાઉત
નુહ જેવી ઘટના ગુજરાતમાં ઘટી : ખેડામાં શિવયાત્રા પર હુમલો : ઇમરાન,નિયાઝ,મહંમદ સહિત 11ની ધરપકડ
Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી
FCI કૌભાંડમાં CBIને મળ્યું સોના-ચાંદી અને 60 લાખથી વધુને કેશ, DGM રાજીવ મિશ્રાની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article OVERVIEW : કોઈપણ રાષ્ટ્રનો મજબૂત પાયો ડિફેન્સ સિસ્ટમ થકી જ બને છે…ભારત સરકારના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા પ્રયાસો
Next Article સુરતમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે અટકાયત કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up