થોડાક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે મિઝોરમના ઝિયોના ચાનાનું નિધન થઈ ચુક્યું છે.ઝિયોના ચાના દુનિયાના સૌથી મોટા પરિવારના મોભી છે.જો કે તેમનો પરિવાર હજુ પણ તેમને અલવિદા કહેવાની તૈયારીમાં નથી.ઝિયોનાના પરિવારનું માનવું છે કે તેઓ અત્યારે પણ જીવતા છે.ઝિયોના ચાના ઉર્ફ ઝિયોન-એના મોતના 36 કલાક બાદ પણ તેમના અગ્નિ સંસ્કાર થઈ શક્યા નથી.ઝિયોનાનું મોત ટ્રિનટી હૉસ્પિટલ આઇજવાલમાં રવિવાર બપોરના થયું હતુ.
પરિવાર જિયોનાના મોતને સ્વીકારવા તૈયાર નથી
બક્તાંગ ગામમાં 76 વર્ષના જિયોનાની 39 પત્નીઓ, 90થી વધારે બાળકો અને ઓછામાં ઓછા 33 પોત્ર-પૌત્રીઓ છે, જે એક વિશાળ 4 માળના ઘરમાં રહે છે.તેઓ એક ધાર્મિક સંપ્રદાય લાલ્પા કોહરાન થારથી સંબંધ રાખે છે,જેમાં પુરુષોને અનેક લગ્ન કરવાની પરવાનગી હોય છે.હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત ઝિયોનાને રવિવારના આઇજોલના ટ્રિનિટી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અહીં રવિવારના 3 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પરિવાર તેમને પાછા લઇને આવ્યો, પરંતુ તેઓ માનવા તૈયાર નથી કે ઝિયોનાનું મોત થઈ ગયું છે.
હૉસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા ત્યારે હ્રદયના ધબકારા સામાન્ય હતા
લાલ્પા કોહરાન થારના સેક્રેટરી જેતિન ખુમાનું કહેવું છે કે ઝિયોનાને જ્યારે હૉસ્પિટલથી ઘરે પાછા લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના હ્રદયના ધબકારા એકવાર ફરી સામાન્ય થવા લાગ્યા હતા.તેમણે કહ્યું કે ઝિયોનાનું શરીર હજુ પણ ઠંડુ નથી પડ્યું અને આવી સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કારને લઇને અસમંજસની સ્થિતિ બની છે.વર્ષ 1942માં હમાવંગકાન ગામથી નીકાળવામાં આવ્યા બાદ ઝિયોનાના દાદાએ એક સંપ્રદાય બનાવ્યો હતો.ચુઆંથર ગ્રામ પરિષદના અધ્યક્ષ રામજુઆવા અનુસાર 433 પરિવારોના 2,500થી વધારે સભ્યો આ સંપ્રદાયનો ભાગ છે, જેની સ્થાપના 70 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.