ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તરામાં એક વૃદ્ધને માર મારવાનો વીડિયો વાયરલ થવાના મામલામાં બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.વકિલ અમિત આચાર્યએ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્વરા ભાસ્કર સહિત અરફા ખાનમ શેરવાની,આસિફ ખાન,ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર ઈન્ડિયાના હેડ મનીષ માહેશ્વરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.જો કે હજુ સુધી આ મામલાની એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી અને પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ સિવાય ભાજપ નેતા નંદકિશોર ગુર્જરે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં તાહિર આપી છે.તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી,એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.તેણે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી અને સ્વરા ભાસ્કર ઉપર લોનીમાં વૃદ્ધને માર મારવાના મામલામાં સામાજિક સંવેદિતા ખરાબ કરવાના ઉદ્દેશ્યથી ટ્વિટ કરવાનો આરોપ લગાવતા ત્રણેય વિરૂદ્ધ રાસુકા (NSA) મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક મુસ્લીમ વૃદ્ધને કેટલાક યુવાનો માર મારી રહ્યા છે.આ ઘટના 5 જૂન 2021ની છે.આ વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે મુસ્લીમ હોવાના કારણે આ વૃદ્ધને માર મારવામાં આવી રહ્યો છે.પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બે પરિવાર વચ્ચેના ઝઘડો હતો.જેના પગલે તેને મારમારવામાં આવી રહ્યો હતો.આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.