By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાલિબાને અફઘાનિસ્તાનના ૧૬ રાજ્યો પર ૩૩ હુમલા કર્યા : શાંતિ કરાર ખતરામાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાલિબાને અફઘાનિસ્તાનના ૧૬ રાજ્યો પર ૩૩ હુમલા કર્યા : શાંતિ કરાર ખતરામાં
GeneralInternational

તાલિબાને અફઘાનિસ્તાનના ૧૬ રાજ્યો પર ૩૩ હુમલા કર્યા : શાંતિ કરાર ખતરામાં

HM News
Last updated: 04/03/2020 8:49 AM
HM News
5 years ago
Share
SHARE

તાલિબાને સમાપ્ત કર્યો આંશિક યુધ્ધવિરામ : અમેરિકા છે મધ્યસ્થી

કાબુલ તા. ૪ : અફઘાનિસ્તાનમાં તાલિબાને અફઘાની સેનાના અડ્ડા પર ડઝન જેટલા હુમલા કરીને ત્રણ દિવસ જુની યુધ્ધ વિરામ સંધિને ખત્મ કરવાની કગાર પર પહોંચાડી દીધી  છે. અમેરિકી મધ્યસ્થતાથી અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે આ સંધિ કરાવામાં આવી હતી. આ બધાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું  કે તેઓએ તાલિબાનના અકિલા નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ફોન પર વાત કરી. તેમની વાતચીત સકારાત્મક રહી. તાલિબાન પ્રવકતાએ પુષ્ટિ કરી. અફઘાનિસ્તાનના  ગૃહ મંત્રાલયના પ્રવકતા નસરત રાહિમીએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં  તાલિબાને અફઘાનિસ્તાનના ૩૪ પ્રાંતોમાંથી ૧૬ પર ૩૩ હુમલા કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ હુમલામાં છ નાગરિક માર્યા ગયા છે અને ૧૪ને ઇજા પહોંચી છે. જ્યારે દુશ્મન સેનાના ૮ લોકોના મોત થયા છે અને ૧૫ને ઇજા પહોંચી છે. તાલિબાને કહ્યું કે, તે આંશિક યુદ્ઘવિરામ ખતમ કરવાની સાથે અફઘાન સુરક્ષા દળો વિરુદ્ઘ આક્રમક અભિયાન ફરી શરૂ કરવા  જઈ રહ્યું છે. આ આંશિક યુદ્ઘવિરામની જાહેરાત ઉગ્રવાદીઓ અને વોશિંગ્ટન વચ્ચે સમજુતી પર સહી થતાં પહેલા થઈ હતી. પરંતુ જે રીતે તાલિબાને આંશિક યુદ્ઘ વિરામ ખતમ કરવાની વાત કહી છે તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું અફઘાનિસ્તાનમાં શાંતિ સમજુતીને ઝટકો લાગી શકે છે? તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ  મુઝાહિદે કહ્યું, ‘હિંસા’માં ઘટાડો… હવે પૂરો થઈ ગયો છે અને અમારૂ અભિયાન સામાન્ય રૂપથી જારી રહેશે.’ તેમણે કહ્યું, ‘અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે, અમારા ઉગ્રવાદીઓ વિદેશી દળો પર હુમલો નહીં કરશે પરંતુ કાબુલ તંત્ર વાળી સેના વિરુદ્ઘ અમારૂ અભિયાન જારી રહેશે. મહત્વનું છે કે પાછલા શનિવારે અફઘાન તાલિબાન અને અમેરિકા વચ્ચે કતરના દોહામાં સમજુતી પર સહી કરી હતી. આ રીતે તે નક્કી થયું છે કે વિદેશી સેના તબક્કાવાર રીતે આગામી ૧૪ મહિનામાં અફઘાનિસ્તાન છોડી દેશે. બદલામાં તાલિબાન અફઘાન ધરતીનો ઉપયોગ કોઈ આતંકી ગતિવિધિમાં થવા દેશે નહીં, સાથે તાલિબાનના સહયોગથી અલકાયદા તથા ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીઓ અને તેના માટે નાણા ભેગા કરવા પર લગામ લગાવવામાં આવશે.

‘ઋદ્ધિમાનની કોમેન્ટથી દુખી નથી પણ તે ઈમાનદારી અને સ્પષ્ટતાથી પોતાના વિશે જાણવા હકદાર’
મોદી ભક્તની ભયંકર બેઈજ્જતી : દોઢ લાખના ખર્ચે મોદીનું મંદિર બનાવ્યું, એક જ દિવસમાં મોદીની મૂર્તિ હટાવાનો PMOમાંથી ઓર્ડર આવ્યો
રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા પર દંડની રકમ ઘટાડી ₹500 કરવા હાઈકોર્ટમાં રજૂઆત કરશે
હાથમાં લોહી નીતરતું ચાકુ લઈને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો, ‘સાહેબ, પ્રેમિકા બ્લેકમેઇલ કરતી હતી, મારી નાખી’
વડોદરા બળાત્કાર કેસ : આરોપી રાજુ ભટ્ટને ઝટકો, પાવાગઢ મંદિરના ટ્રસ્ટી પદેથી હટાવવાની કાર્યવાહી શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article ગોવામાં કોંગ્રેસના નેતા બેફામ બન્યાઃ ભગવાન પરશુરામને ગણાવ્યા આતંકી અને બળાત્કારીઃ હિન્દુઓ ભડકયાઃ ધરપકડ
Next Article ૧લી એપ્રિલથી બેન્કોનું મર્જર અમલી બનશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up