By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા
GeneralVadodara

હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા

HM News
Last updated: 27/07/2021 8:31 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરા : હરિભક્તો માટે દુખના સમાચાર સામે આવ્યા છે.સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનુ નિધન થતા હરિભક્તો શોકમય બન્યા છે.સ્વામીજી BAPS ના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા.સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો છે.લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી.ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહ સોખડા મંદિરે લઈ જવાશે.

લાખો હરિભક્તો આઘાતમાં

સ્વામી હરિપ્રસાદના દેશ વિદેશમાં રહેતા લાખો ભક્તો આઘાતમાં સરી પડ્યા છે.યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે.તેમજ હરિધામ સોખડા દ્વારા ટિ્વિટ કરીને સ્વામીજીના અક્ષરવાસ વિશે માહિતી આપવામાં આવી છે.સોસાયટી દ્વારા કહેવાયું કે, અનુપમ આત્મીયતા,અનેરી સરળતા,આગવી સહજતા,અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું.તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના અા વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

રવિવારે અંતિમ સંસ્કાર કરાશે

સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ રવિવાર 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ સંસ્કાર વિધી થશે. આ ત્રણ દિવસ દરમિયાન દેશવિદેશના ભક્તો અંતિમ દર્શન માટે આવશે.અંતિમ દર્શન માટે પ્રદેશ વાઈઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામા આવ્યો છે.

12 દિવસના જેલવાસ બાદ આખરે રાણા દંપતીને જામીન
અડધો ડઝન લોકોની ગેંગ જજોને ખંડણી આપે છે: સાંસદ ગોગોઇ
વિશ્વના અબજપતિઓની રોકાણ માટે ભારત પહેલી પસંદગી
પારડી સાંઢપોરમાં રસ્તા મુદ્દે પાલિકાના ટ્રેકટર અટકાવ્યા
પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલી માટે કાર્યવાહી શરૂ, ટુંક સમયમાં જ આદેશ થશે
Next Article ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાળેશ્વર મંદિરમાં હજારો ભાવિકો ઉમટી પડતા ધક્કા મુક્કી, મોટી દુર્ઘટના ટળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up