[weather_data]
Breaking News
TRENDING NEWS

મનસુખ હિરેનની હત્યા કરવા અપાયા હતા 45 લાખ, એંટીલિયા કેસમાં NIAનો ખુલાસો

[updated_date] [post_views]

Table of Content

એંટીલિયા કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મોટો ખુલાસો કર્યો છે.એનઆઈએએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા માટે 45 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.તપાસ એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કોર્ટ પાસે વધુ 30 દિવસનો સમય માંગ્યો છે.આ અગાઉ વિશેષ કોર્ટે એજન્સીને 9 જૂનના રોજ સોગંદનામું દાખલ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો હતો.એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં કોણે ફંડ પૂરું પાડ્યું છે તેની તપાસ કરવાની જરૂર છે.

એજન્સીએ કોર્ટને એમ પણ કહ્યું કે આ કેસમાં 150 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. એક ટીમ તપાસ માટે દિલ્હી પણ ગઈ હતી. અત્યાર સુધી આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારીઓ પ્રદીપ શર્મા અને સચિન વાજેની ધરપકડ કરવામાં આવી છે.
25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી એસયુવી કાર મળ્યા બાદ હિરેને દાવો કર્યો હતો કે તે કાર પહેલા તેની પાસે હતી.પરંતુ આ પછી 5 માર્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ કેસમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા અને સચિન વાજેનો સમાવેશ થાય છે. હવે કોર્ટ વાજેની ડિફોલ્ટ જામીન અરજી પર દલીલો પણ સાંભળશે, તેણે દાવો કર્યો છે કે એનઆઈએએ નિયત સમયમાં ચાર્જશીટ દાખલ કરી નથી.એનઆઈએના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે જેમને હવે બરતરફ કરવામાં આવ્યા છે.

અંબાણીની સુરક્ષામાં ખામી અને હિરેનની હત્યાના સંબંધમાં અત્યાર સુધી ત્રણ અધિકારીઓ,એક કોન્સ્ટેબલ,ચાર પોલીસકર્મી અને એક ક્રિકેટ બુકીની ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા પોલીસકર્મીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles