– ઘરબેઠાં જ પ્રતિમાનું વિસર્જન કરવાનું રહેશે
– કોરોનાના કારણે વિસર્જનમાં લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો
અમદાવાદ : વ્રતો અને તહેવારોનો મહિનો શરૂ થયો છે ત્યારે દશામા અને ગણેશ ઉત્સવ ઉજવાયા પછી પ્રતિમાઓનું નદીમાં વિસર્જન નહીં કરી શકાય.લોકોએ પ્રતિમાનું સ્થાપન કર્યું હોય તેનું વિસર્જન ઘરે જ કરવાનું રહેશે.પ્રતિમાના વિસર્જન માટે સભા-સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકાયો છે.
પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામા અનુસાર, આગામી તા. 8થી દશામા વ્રતન શરૂ થશે.આ દિવસે દશામાની મૂર્તિઓની સૃથાપના થશે અને તા. 17 ઓગષ્ટે વ્રત પૂર્ણ થશે.વ્રત પૂર્ણ થતાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિઓનું સાબરમતી નદીના ઓવારાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરવામાં આવતું હતું. પરંતુ, કોવિડ-19 સંક્રમણના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જન માટે કૃત્રિમ કુંડો બનાવવા સહિતની કોઈપણ સુવિધા ઉપલબૃધ કરવામાં આવનાર નથી.કોરોનાની સિૃથતિ વચ્ચે રાત્રિ કરફ્યૂ અમલમાં છે અને આવશ્યક સેવા સિવાયની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મુકવામાં આવેલા છે.
આ વર્ષે પણ શ્રધૃધાળુઓએ દશામાની મૂર્તિની સૃથાપના ઘરમાં કરવાની રહેશે અને વિસર્જન પણ પોતાના ઘરે જ કરવું જરૂરી છે.કોઈપણ વ્યક્તિ કે સમુહ દશામાની મબર્તિ વિસર્જન માટે સરઘસ કે શોભાયાત્રા ન કાઢે તથા પોતાના ઘરમાં જ દશામાની મૂર્તિનું સન્માનપૂર્વક વિસર્જન કરે તેવી અપીલ પોલીસે કરી છે.


