By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ
GeneralNationalPolitics

મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ

HM News
Last updated: 10/08/2021 11:41 AM
HM News
4 years ago
Share
SHARE

ઉત્તરપ્રદેશ,તા.10 ઓગસ્ટ 2021,મંગળવાર : યુપીની આગામી ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પાર્ટી 100 બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના મુસ્લિમ મંત્રી મૌલાના સિદ્દીક ઉલ્લાહ ચૌધરીએ સોમવારે યુપીના દેવબંદની મુલાકાત લીધી હતી.ચૌધરીની મુલાકાત બાદ રાજકીય સમીકરણોની નવેસરથી ગણતરી થઈ રહી છે.મૌલાના ચૌધરીને યુપીમાં ઓવૈસીનો પ્રભાવ ઓછો કરવા માટે મોકલવામાં આવ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે.

પશ્ચિમ બંગાળ સરકારમાં મૌલાના ચૌધરી મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે.દેવબંદના એક ટોચના ધર્મગુરૂના નિધન પર શોક વ્યક્ત કરવા માટે પહોંચેલા મૌલાના ચૌધરીએ ઓવૈસી પર નિશાન સાધ્યુ હતુ.એવુ જાણવા મળ્યુ છે કે, મૌલાના ચૌધરીએ કહ્યુ હતુ કે, મમતા બેનરજીની આગેવાનીમાં હિન્દુઓ અને મુસ્લિમોએ એક સાથે મળીને ભાજપનો સફાયો કરી દીધો હતો.બંગાળમાં 97 ટકા મુસ્લિમોએ દેશ બચાવવા માટે ટીએમસીને મત આપ્યો હતો.હવે યુપીની જનતાએ પણ એક થઈને ભાજપનો સફાયો કરવાની જરૂર છે.મૌલાના ચૌધરીના નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે બંગાળની જેમ જ મુસ્લિમો યુપીમાં વોટિંગ કરે તેવુ મમતા બેનરજી ઈચ્છી રહ્યા છે.મૌલાના ચૌધરીએ તો એમ પણ કહ્યુ હતુ કે, ઓવૈસી દરેક રાજ્યની ચૂંટણીમાં કુદીને મુસ્લિમ મતોને વહેંચવાનુ કામ કરી રહ્યા છે અને તેનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે.બંગાળની જનતાએ ઓવૈસીને નકારી કાઢ્યા છે.તેમના નિવેદનોથી મુસ્લિમોને કોઈ ફાયદો થયો નથી.તેમણે તો ઉલેમાઓને પણ રાજકારણમાં આવવા માટે આમંત્રણ આપતા કહ્યુ હતુ કે, ઉલેમાઓએ પોતાના અધિકાર મેળવવા માટે રાજકારણમાં ઝુકાવવુ જોઈએ.યુપીમાં ભાજપને હરાવવા તમામ રાજકીય પાર્ટીઓએ સાથે આવવુ જોઈએ.બંગાળની જનતાએ ટીએમસીને જીતાડીને સિગ્નલ આપ્યો છે કે, ભાજપ અપરાજિત નથી.

રામાયણમાં રાવણનો દમદાર અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીએ દુનિયાને કહ્યુ અલવિદા
ભાજપની હાલત પર અખિલેશ યાદવનો કટાક્ષ,જનતાએ ‘દીદી ઓ દીદી’ નો આપ્યો જવાબ
ગુજકેટમાં ૧૦૬૯ વિદ્યાર્થીએે ૯૯થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા
સુરતમાં DDI વિભાગનું સર્ચ ઓપરેશન પાંચમા દિવસે પણ યથાવત : બિલ્ડરોના બેનામી વ્યવહારનો આંકડો 300 કરોડને પાર
દાદરાના ચકચારિત હત્યા કમ લૂંટ કેસ:વાપીના ટ્રાન્સપોર્ટરને એક વર્ષથી ઓળખતા લવાછાના યુવકે જ હત્યા કરી લૂંટ ચલાવી હતી
Share This Article
Facebook Email Print
Previous Article બેઝોસ વિ અંબાણી : ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર
Next Article કડોદરામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા, પોલીસે 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up