સુપ્રીમ કોર્ટે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને તેમના ઉમેદવારોનાં ફોજદારી કેસો જાહેર ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બિહારની ચૂંટણી દરમિયાન ઉમેદવારોનો ફોજદારી રેકોર્ડ મીડિયામાં પ્રકાશિત ન કરવા બાબતે સુપ્રીમ કોર્ટે 10 પક્ષોને તેના આદેશનું પાલન ન કરવા બદલ અવમાનના માટે દોષિત ઠેરવ્યા.આ સાથે સર્વોચ્ચ અદાલતે જેડીયુ,આરજેડી,એલજેપી,કોંગ્રેસ, બસપા અને સીપીઆઈ પર 1-1 લાખનો દંડ ફટકાર્યો છે.આ સિવાય સીપીએમ અને એનસીપી પર 5-5 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
સુપ્રીમ કૉર્ટ દ્વારા મંગળવારના રાજનીતિના ગુનાહિતકરણથી જોડાયેલા એક કેસમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો.સુપ્રીમ કૉર્ટે આદેશ આપ્યો છે કે ઉમેદવારની જાહેરાતના 48 કલાકની અંદર તમામ રાજકીય પાર્ટીઓએ તેમનાથી જોડાયેલી જાણકારી શેર કરવાની રહેશે.સુપ્રીમ કૉર્ટના આદેશ પ્રમાણે જો કોઈ ઉમેદવાર પર કોઈ ગુનો નોંધાયેલો છે અથવા પછી કોઈ કેસમાં તે આરોપી છે તો રાજકીય દળોના ઉમેદવારના નામની જાહેરાતના 48 કલાકની અંદર આની જાણકારી સાર્વજનિક કરવાની હશે.
સુપ્રીમ કૉર્ટે રાજકીય પાર્ટીઓના ગુનાહિત રેકૉર્ડવાળી ગાઈડલાઈન્સને વધારે સખ્ત કરી છે અને પોતાના જૂના ચુકાદામાં સુધારો કર્યો છે.સુપ્રીમ કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, રાજકીય દળોએ ચૂંટણી માટે પસંદગી પામેલા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવાનો રહેશે.સુપ્રીમ કૉર્ટે આ સંબંધિત પોતાના 13 ફેબ્રુઆરી, 2020ના ચુકાદામાં સુધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020ના ચુકાદાના પેરાગ્રાફ 4.4માં સુપ્રીમ કૉર્ટે આદેશ આપ્યો હતો કે ઉમેદવારની પસંદગીના 48 કલાકની અંદર અથવા નામાંકન દાખલ કરવાની તારીખથી ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા,જે પણ પહેલા હોય ત્યારે તેનો ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવામાં આવશે.સુનાવણી પહેલા ચૂંટણી પંચે સુપ્રીમ કૉર્ટને કહ્યું કે, ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને જાહેર ના કરનારી રાષ્ટ્રીય પાર્ટીની વિરુદ્ધ ઉલ્લંઘનને જોતા પાર્ટીના ચૂંટણી ચિન્હને ફ્રીજ અથવા રદ્દ રાખવામાં આવે.
ચૂંટણી પંચે આ સલાહ સુપ્રીમ કૉર્ટના આદેશના ઉલ્લંઘનના મામલે આપી છે.માકપા તરફથી વકીલે બિનશરતી માફી માંગતા કહ્યું કે, આવું નહોતું થવું જોઇતું. અમારો પણ વિચાર છે કે રાજનીતિનું ગુનાહિતકરણ ના થવું જોઇએ.કૉર્ટે CPMના વકીલથી કહ્યું કે, માફીથી કામ નહીં ચાલે.અમારા આદેશોનું પાલન કરવું પડશે.તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વકીલે નિર્દેશોનું પાલન ના કરવા માટે બિનશરતી માફી માંગી.ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ પોતાના ઉપર નોંધાયેલા કેસની જાણકારી નહોતી આપી.