હવાલા કાંડની તપાસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કચ્છમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલી છ મસ્જિદો સુધી પહોંચી ગઈ છે.એસઆઈટી દુબઈથી આવતા રૂપિયાના કેસમાં તપાસ કરી રહી હતી,જેમાં હવાલા કાંડનું દુબઈથી ગુજરાત કનેકશન બહાર આવ્યું છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, લાખો રૂપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો,જેમાં છ મસ્જિદો દ્રારા મદરેસા પણ ચલાવવામાં આવતી હતી.આ મસ્જિદો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે.અમે આ મસ્જિદના સંચાલકો સાથે વાત કરી છે અને તેમણે જણાવ્યું છે કે તેમને ફડં સલાઉદ્દીન શૈખ પાસેથી મળતું હતું,જે આ હવાલા રેકેટમાં મુખ્ય આરોપી છે.
વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘે આ અંગે પુષ્ટ્રી કરી છે કે આ તેમની ટીમ દ્રારા આ કેસમાં કચ્છમાં આવેલી મસ્જિદોમાં તપાસ કરવામાં આવી છે,જેમાં હવાલા કાંડ સહિત ધર્મ પરિવર્તનના રેકેટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, અમે હજુ આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ.
પોલીસે જણાવ્યું છે કે, અમારી પાસે મસ્જિદના નામે જેમણે રૂપિયા સ્વીકાર્યા છે તેમના નિવેદનો છે.સલાઉદ્દીન શૈખ દ્રારા પિયા મોકલવા માટે અમી ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.હવે અમે સામાજિક સેવાના નામે આ મસ્જિદોને મોકલવામાં આવતા ફડં અને શૈખના રૂપિયા મોકલવાના રૂટ અંગે તપાસ કરી રહ્યા છીએ.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્રારા કરાયેલી તપાસમાં જે મસ્જિદોના નામ સામે આવ્યા છે તે આ પ્રમાણે છે- મોટા દીનારાની મોહમ્મદી મસ્જિદ,ખાવડામાં આવેલી મસ્જિદ-એ-સલીમ અકલી, મસ્જિદ-એ-બિલાલ અને મસ્જિદ-એ-અમીન, ઝક્કરિયા વાસમાં આવેલી મસ્જિદ-એ-આઈશા અને નખતરાણા ગામમાં આવેલી મસ્જિદ-એ-આકશા.
આ અંગે આગળ પોલીસે જણાવ્યું કે, અમે આ મસ્જિદોમાં ચાલતી કામગીરીની તપાસ કરી રહ્યા છીએ અને ફંડનો કઈ રીતે ઉપયોગ કરાતો હતો તેની પણ તપાસ કરાઈ રહી છે.આ કેસમાં ગેરકાયદેસર રીતે રૂપિયા મોકલવામાં કે સ્વીકારવામાં આવતા હોઈ શકે છે.આ મસ્જિદ પાકિસ્તાન બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે, યાં મોટા પ્રમાણમાં દાન અને હવાલાના રૂપિયા આવતા હતા જે કંઈક ખોટું થઈ રહ્યું હોવાના સંકેત આપે છે.
શેખ અહીં ભૂજમાં આવેલી મસ્જિદોમાં દર મહિને ૫-૧૦ લાખ રૂપિયા મોકલતો હતો અને તેના શંકાની સોય છે,વડોદરામાં આવેલી મસ્જિદને ૩૫ લાખ પિયા આપવામાં આવ્યા હતા.યુકેના બિઝનસમેને પિયા ૬૦ કરોડ હવાલા દ્રારા દુબઈથી શેખને મોકલવ્યા હતા.તેણે ૧૯ કરોડ રૂપિયા દાનના નામે પણ મોકલ્યા હતા.શેખના બેંક અકાઉન્ટ માંથી ગુજરાત સિવાય અન્ય રાયોમાં પણ નાણા મોકલવામાં આવ્યા છે.
યુકેના બિઝનસમેનની ધરપકડની માગણી
પોલીસ દ્રારા આ કેસમાં હવે યુકેના બિઝનસમેને કે જેણે પાછલા ૫ વર્ષમાં સલાહત્પદ્દીન દ્રારા ૮૦ કરોડ રૂપિયા મોકલ્યા છે,તેની ધરપકડ માટે રેડ-કોર્નર નોટિસ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું કે, એકવાર અમને શેખની કસ્ટડી મળે તે પછી મજબૂત પુરાવા મળશે,અમે યુકેના બિઝનસમેનની કસ્ટડી માટે નોટિસ ઈસ્યુ કરીશું.
દુબઈથી આવતા ભંડોળના કેસમાં તપાસનો રેલો કચ્છમાં આવેલી ભારત-પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચ્યો છે. હવાલા કાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કચ્છમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલી છ મસ્જિદો સુધી પહોંચી ગઈ છે. SIT દુબઈથી આવતા રૂપિયાના કેસમાં તપાસ કરી રહી હતી, જેમાં હવાલા કાંડનું દુબઈથી ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે.સિનિયર પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું કે- લાખો રૂપિયા અને ડોનેશનના નામે હવાલા કાંડ ચલાવાતો હતો,જેમાં છ મસ્જિદો દ્વારા મદરેસા પણ ચલાવવામાં આવતા હતા.આ મસ્જિદો ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની બોર્ડરથી ઘણી જ નજીકમાં આવેલી છે. પોલીસે આ મસ્જિદના સંચાલકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે તેમને આ ફંડ સલાઉદ્દીન શેખ પાસેથી મળતું હતું.જે હવાલા રેકેટનો મુખ્ય આરોપી છે.
પોલીસનો દાવો છે કે હવાલા કાંડ સહિત ધર્મ પરિવર્તનના રેકેટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે, પોલીસ પાસે મસ્જિદના નામે જેમણે રૂપિયા સ્વીકાર્યા છે તેમના નિવેદનો છે.સલાઉદ્દીન શેખ દ્વારા રૂપિયા મોકલવા માટે આફ્મી ટ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે અમે સામાજિક સેવાના નામે આ મસ્જિદોને મોકલવામાં આવતા ફંડ અને શેખના રૂપિયા મોકલવાના રૂટ અંગે તપાસ કરવામાં આવી રહી છે.


