By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ત્રણ વર્ષ જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સુરત જિલ્લા તલાટી મંડળે કલેકટર અને DDOને આવેદનપત્ર પાઠવ્યું : આંદોલન કરવાની ચીમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ત્રણ વર્ષ જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સુરત જિલ્લા તલાટી મંડળે કલેકટર અને DDOને આવેદનપત્ર પાઠવ્યું : આંદોલન કરવાની ચીમકી
GeneralSurat

ત્રણ વર્ષ જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સુરત જિલ્લા તલાટી મંડળે કલેકટર અને DDOને આવેદનપત્ર પાઠવ્યું : આંદોલન કરવાની ચીમકી

HM News
Last updated: 13/09/2021 12:21 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત : છેલ્લા ત્રણ વર્ષથી સતત તલાટી મંડળને સરકારે આપેલા વચનો અંગે વારંવાર રજુઆત કરવા છતાં પણ સરકાર તરફથી કોઈ સકરાત્મક અભિગમ ન દાખવવામાં આવતા આજરોજ ગુજરાત રાજય તલાટી કામ મંત્રી મહા મંડળ દ્વારા તેમની રજુઆત સંદર્ભે સુરત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવમાં આવ્યું હતું જેમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અન્યથા અવનદાર દિવસોમાં તલાટી મંડળ અને તેના સભ્યો દ્વારા જો પડતર પ્રશ્નો ન ઉકેલાઈ તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય તાલટી કમ મંત્રી મંડળના સભ્યોએ વર્ષ 2018 માં સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓને લઇ લેખિત રજુઆત કરી હતી.જેમાં તલાટી મંડળના મુખ્ય પ્રશ્નો અંગે જે તે સમયે હડતાળ પણ કરવામાં આવી હતી અને આ બાબતે સરકારે સુખદ નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી જેને લઇ સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓએ આંદોલન સમેટી લીધું હતું છતાં પણ આજ દિન સુધી તેમના પડતર પ્રશ્નો અંગે કોઈ જ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ મંડળના પ્રમુખ પંકજ મોદી,મહામંત્રી સહદેવ રાણાના દિશા નિર્દેશ અંતર્ગત સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદેદારો જેમાં પ્રમુખ અજીતભાઈ ચૌધરી અને મહામંત્રી વિજય પટેલની આગેવાનીમાં અનેક સભ્યોએ સાથે મળીને પોતાની પડતર માંગણીઓ બાબતે સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ ગઢવીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી અને જો સમયસર ઉકેલ ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી હતી.

વધુમાં જો આવનારા દિવસોમાં પડતર પ્રશ્નો નહીં ઉકેલાઈ તો રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનના કાર્યકમો યોજાવમાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

કોંગ્રેસને વધુ એક ફટકો : રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો પણ ગુમાવે તેવી શક્યતા
મોટા વરાછામાં દુબઇથી ઓનલાઇન રમાતા જુગારનું નેટવર્ક પકડાયું
બેંકો સાથે એક વર્ષમાં 84,545 કિસ્સામાં 1.85 લાખ કરોડની છેતરપિંડી, RTIથી થયો ચોંકાવનારો ખુલાસો
સહકાર રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ મઢી સુગર ફેક્ટરીની મુલાકાતે
બંગાળ મતદાન : પૂર્વ મિદનાપુર વિસ્તારના પોલીંગ બૂથ પર ફાયરિંગ, 2 સુરક્ષાકર્મી ઘાયલ
Share This Article
Facebook Email Print
Previous Article સૌથી પાછળ રહીને પણ ગુજરાતના CM પદની રેસમાં કેવી રીતે આગળ નિકળ્યા ભૂપેન્દ્ર પટેલ : વાંચો Inside Story
Next Article સુરત વેસુ વિસ્તારના સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના : કાગળમાં ઈચ્છા લખવાથી બાપ્પા મનોકામના પૂર્ણ કરે છે…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up