By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તર ગુજરાતમાં તલાટી મહામંડળ દ્વારા અધિકારીઓને આવેદનપત્રો અપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > ઉત્તર ગુજરાતમાં તલાટી મહામંડળ દ્વારા અધિકારીઓને આવેદનપત્રો અપાયા
GeneralNorth Gujarat

ઉત્તર ગુજરાતમાં તલાટી મહામંડળ દ્વારા અધિકારીઓને આવેદનપત્રો અપાયા

HM News
Last updated: 14/09/2021 8:12 AM
HM News
4 years ago
Share
SHARE

મહેસાણા, પાલનપુર, તા.13 : રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા છેલ્લા ૩ વર્ષ થી ૧૧ જેટલા પડતર પ્રશ્નોને મામલે સરકારમાં અનેક રજુઆત કરાઈ છે જેનોે ઉકેલ ન આવતા રાજ્ય વ્યાપી આંદોલનમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર અને પાટણ ખાતે તલાટી મંત્રીઓએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો પાઠવ્યા છે. મહેસાણા જિલ્લાના ૩૫૦ જેટલા તલાટીઓએ અધિકારીઓ સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રુપમાંથી એક સાથે નીકળી જઈ નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા રાજ્યના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સભ્યોના હીતમાંએ વર્ષ ૨૦૧૮ થી સરકાર સમક્ષ ૨૦૦૪-૦૫ અને ૨૦૦૬માં ભરતી થયેલ તલાટીઓની સળંગ નોકરી ગણવા, ૨૦૧૬ બાદમાં પ્રથમ -દ્વિતીય પગાર ધોરણ ગણવા, પ્રમોશન આપવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી તરીકે મર્જ કરવા, ઇ ટી એ એસકે અન્ય ઉપકરણથી તલાટીઓની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા,આંતર જિલ્લા ફેરબદલી,પંચાયત વિભાગ સહિત અન્ય વિભાગની કામગીરી ન સોંપવા, ફરજ મોકૂફી, ફરજ દરમિયાન થતા હુમલાઓ અને નવું મહેકમ નક્કી કરી એક ગામ એક તલાટી સહિતના ૧૧ મુદ્દાઓ મામલે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. બે વર્ષ અગાઉ તલાટી મંડળે હડતાળ પાડતા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તલાટી મંડળને તેમની માંગો પુરી કરવા બાંહેધરી આપી હતી.પરંતુ માંગો પુરી ન કરાતા ૧૩ સપ્ટેમ્બરે તલાટી મંડળ દ્વારા આંદોલનના ભાગ રૂપે ૭ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર સુધી વિવિધ કાર્યક્રમો નક્કી કરાયા છે.જેમાં આજે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવા અને વોટસએપ ગ્રુપમાંથી નીકળી જવાનું નક્કી કરાયું હોઈ મહેસાણા,પાલનપુર અને પાટણ ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.રાધનપુર ખાતે પણ તાલુકા તલાટી મંડળે આવેદનપત્ર આપ્યું હતું.મહેસાણા જિલ્લાના ૩૫૦ જેટલા તલાટી કમ મંત્રીઓ અધિકારી સાથે જોડાયેલા વોટસએપ ગ્રુપમાંથી સામુહિક રીતે નીકળી જઈ નારાજગી દર્શાવી હતી. આંદોલનના ભાગ રુપે તલાટીઓ આગામી ૨૦ સપ્યેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, ૨૭મી સપ્ટેમ્બરે પેનડાઉન, ૧૦ ઓક્ટોમ્બરે જિલ્લા કક્ષાએ અને ૧૨ ઓક્ટોમ્બરે રાજ્ય કક્ષાએ એક દિવસીય ધરણાં કાર્યક્રમ યોજાશે.

ગુજરાત વકફ બોર્ડ ભ્રષ્ટાચારનો ભોરિંગ : ત્રણ મુસ્લીમ ધારાસભ્યોનું ભેદી મૌન સમગ્ર લઘુમતી સમાજને અકળાવી રહ્યું છે..
શેર બજારોની મજબૂત શરૂઆત,બજેટ પહેલા સેન્સેક્સ 332 પોઇન્ટ વધીને 46600 ને પાર
પેલેસ્ટાઈન ગાઝા બોર્ડર પર ઈઝરાયેલનાં ભીષણ હવાઈ હુમલા : બોર્ડર પર સૈન્ય ખડકયુ
સિદ્ધુ મુસેવાલાની હત્યાનું કાવતરૂં દિલ્હીથી પંજાબ સુધીની 4 જેલોમાં ઘડાયું
પુત્રીએ સાસરિયાંના ત્રાસથી આપઘાત કરતાં દોહિત્રની કસ્ટડી માટે વૃદ્ધ નાના-નાનીએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્ક્મટેક્ષ વિભાગમાં બદલી અને બઢતીનો દોર શરૂ
Next Article ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોણ મંત્રી બનશે અને કોણ પડતા મૂકાશે? આ 2 લોકો પર છે મદાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up