– વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ફાઈનાન્સની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ
– દેશમાં ક્રિપ્ટોકરન્સીને રોકવી મુશ્કેલ, વ્યવહારો ઉપર નિયંત્રણ માટે તૈયારી
અમદાવાદ : ભારત સરકાર બહુ જ ઝડપથી દેશમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનવવાની દિશામાં આગળ વધી રહી હોય તે રીતે પાટનગર નવી દિલ્હીમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધ વચ્ચે પણ હવે ભારતમાં ડીજીટલ ચલણ કે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવો પડે,તેને અટકાવી શકાય નહી એવો બહુમત વ્યૂહ બની રહ્યો છે.
આગામી દિવસોમાં સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન કે નિયંત્રણ અંગે ખરડો રજૂ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે જેના ભાગરૂપે સંસદની ફાઈનાન્સ વિભાગની સ્ટેન્ડિંગ કમિટીની આજે વિવિધ પક્ષકારો સાથે બેઠક થઇ હતી જેમાં એવો મત મળ્યો હતો કે તેના ઉપર પ્રતિબંધ મુકવો હવે શક્ય નથી, નિયંત્રણ લાવવા અંગે જ વિચારણા થવી જોઈએ.મોદી સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિંહાના અધ્યક્ષપદે આજે સમિતિની બેઠકમાં ક્રિપ્ટોે ફાયનાન્સ: તક અને પડકારો અંગે વિવિધ પક્ષોએ પોતાના મત રજુ કર્યા હતા.આ બેઠકમાં હાજર ઘણા સભ્યો આ પ્રકારના ચલણ ઉપર નિયંત્રણ કે નિયમ આવે તેની તરફેણ કરી પણ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યું હતો.ભારતમાં અત્યારે ક્રિપ્ટોેકરન્સી ઉપર કોઇપણ પ્રકારના નિયંત્રણ નથી, આ ચલણ ખરીદવા કે વેચવાની સવલત આપતા એક્સચેન્જ ઉપર પણ કોઈ સંસ્થા કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી.
એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી વગર આ ડીજીટલ ચલણ ટ્રાન્સફર થઇ શકતા હોય, તેને કોઈપણ દેશની સરકાર કે સેન્ટ્રલ બેન્કે ચલણ તરીકે માન્યતા નહી આપી હોવાથી તેનો ગેરઉપયોગ, બ્લેક માર્કેટિંગ, ડ્રગટ્રાફિકિંગમાં ઉપયોગ શક્ય હોય એવી ચર્ચા વચ્ચે આ બેઠક થઇ હતી.ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયંત્રણ મુકવાની અને ક્રિપ્ટોેકરન્સીનો ગેરઉપયોગ રોકવાની આગાઉની બેઠકમાં તરફેણ કરી હતી જોકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2014થી દેશમાં આવા ચલણનો વિરોધ કર્યો છે અને સમયાંતરે તેનાથી દુર રહેવા લોકોને સલાહ આપી છે.સરકાર સમક્ષ તા. 5 ફેબ્રૂઆરીના રોજ પોતાની આંતરિક કમિટીની રચના કરી સરકાર સમક્ષ આ પ્રકારના ચલણ અને તેના વ્યવહાર અંગે ચિંતાઓવ્યક્ત પણ કરી છે.આરએસએસના વડા મોહન ભાગવતે પણ આવા ડીજીટલ ચલણ ઉપર કોનું નિયંત્રણ છે અને ભારત સરકારે આ અંગે વિચારવું જોઈએ એવી ટકોર ગત મહીને કરી હતી.જો કે,દેશમાં ચાલતા ક્રિપ્ટોેકરન્સી એક્સચેન્જ અને અન્ય સંબંધિત લોકો અનુસાર ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે.આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા 10 કરોડ એકાઉન્ટ છે.અહી ઉલ્લેખનીય છે કે શેરબજારમાં રોકાણ કરતા હોય તેવા આઠ કરોડ રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર નોંધાયેલા છે.આટલી વ્યાપક રીતે હવે ક્રિપ્ટોકરન્સી દેશમાં લોકપ્રિય છે ત્યારે તેના ઉપર પ્રતિબંધમુકવાનો આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં વિરોધ થયો હતો અને તેની સામે તેના વ્યહાર,એક્સચેન્જની કામગીરી અંગે નિયંત્રણની રજૂઆત જયંત સિંહા સમક્ષ કરવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકોએ પ્રતિબંધની જગ્યાએ આ ચલણો ઉપર નિયંત્રણની તરફેણ કરી છે. કોંગ્રેસ સન સંભ્યોએ જણાવ્યું હતું કે દેશમાં તેના ઉપર પ્રતિબંધ મુકવા સામે ઘણા મોટા પડકાર છે અને તેના બદલે તેના ઉપર નિયંત્રણ મુકવા જોઈએ.આવી જ રીતે એવો પણ વ્યૂહ બન્યો હતો કે ક્રિપ્ટોકરન્સીના ઉત્પાદન અને તેના વ્યવહારિક જીવનમાં ઉપયોગ વચ્ચે એક મોટી ભેદરેખા હોવી જોઈએ જેથી તેમાં ખરીદી અને વેચાણ અને તેના વ્યવહારના ચલણની દુનિયા અલગ રહી શકે. ચલણનો ઉપયોગ તેનું પ્રિન્ટીંગ એ દેશની સાર્વભૌમત્વની વાત છે જયારે ક્રિપ્ટોેકરન્સી એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે માત્ર એક્સચેન્જ થકી ખરીદ વેચાણ કરનાર જ તેનું મુલ્ય નક્કી કરી શકે.
સાંસદ સિવાય બ્લોક ચેઈન એન્ડ ક્રિપ્ટોે એસેટ કાઉન્સિલ, ઉદ્યોગ સંગઠન, વિવિધ શિક્ષણવિદો અને અન્યોએ પણ બેઠકમાં પોતાની રજૂઆત કરી હતી.અગાઉ, આવી જ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વરિષ્ઠ મંત્રીઓ,રિઝર્વ બેંકના અધિકારો અને વિવિધ સંગઠન સાથે કરી હતી. અગાઉ, એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારત સરકાર એક નવો ખરડો તૈયાર કરી રહી છે જેમાં ક્રિપ્ટોકરન્સીને ચલણ તરીકે નહી પણ એક મિલકત કે એસેટ તરીકે માન્યતા આપવામાં આવશે.આ ઉપરાંત સુત્રોએ જણાવ્યું હતું કે રોકાણના એક વિકલ્પ તરીકે માન્યતા મળવાની સાથે તેના ઉપર ટેક્સ પણ આકરવામાં આવશે.આ મુજબ, વ્યવહારની સેવાઓ ઉપર જીએસટી અને રોકાણના નફા ઉપર ઇન્કમ ટેક્સ ગણવામાં આવે એ પ્રકારે કાયદાકીય ખરડામાં જોગવાઈ કરવામાં આવી રહી છે.કેટલા ટકા જીએસટી કે ઇન્કમ ટેક્સ લાદવામાં આવશે તે અંગે હજી ચર્ચા ચાલુ છે.
ક્રિપ્ટોમાં ભારતીયોનું રૂ.6 લાખ કરોડનું રોકાણ
ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે.આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા 10 કરોડ એકાઉન્ટ છે
ભારતમાં ક્રિપ્ટોકરન્સીની તવારીખ
* વર્ષ 2013 દેશમાં પ્રથમ ક્રિપ્ટો એક્સચેન્જ શરૂ થયું
* વર્ષ 2014 – 2016 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રિપ્ટોકરન્સી જોખમી હોવાની લોકોને બે વખત જાણ કરી
* વર્ષ 2017- કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી અંગે અભ્યાસ કરવા સમિતિની રચના કરી
* વર્ષ 2018- રિઝર્વ બેંકના આદેશની બેંકોએ લોકોને ખાતામાંથી ક્રિપ્ટોકરન્સી ખરીદવા કે વેચવા ઉપર પ્રતિબંધ મૂક્યો
* 2020- દેશમાં દરેક ક્રિપ્ટોેકરન્સી ઉપર રિઝર્વ બેન્કે પ્રતિબંધ મૂક્યો
* માર્ચ 2020 – રિઝર્વ બેંકના સર્ક્યુલરને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો
* જૂન 2020 કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સીનો અભ્યાસ કરવા એસ સી ગર્ગ કમિટીની રચના કરી
* આ કમિટીએ દેશમાં ક્રિપ્ટોના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ખરીદી અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી
* ડિસેમ્બર 2020 – બેંકોએ ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર કરવાની ગ્રાહકોને છૂટ આ


