By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં છ વર્ષમાં પાંચ લાખથી વધુ કંપનીઓએ કારોબાર સંકેલી લીધો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં છ વર્ષમાં પાંચ લાખથી વધુ કંપનીઓએ કારોબાર સંકેલી લીધો
GeneralNational

દેશમાં છ વર્ષમાં પાંચ લાખથી વધુ કંપનીઓએ કારોબાર સંકેલી લીધો

HM News
Last updated: 01/12/2021 8:57 AM
HM News
4 years ago
Share
SHARE

– એપ્રિલ 2016થી અત્યાર સુધીમાં સાત લાખ નવી કંપની શરૂ થઈ હોવાની સરકારે લોકસભામાં માહિતી આપી

નવી દિલ્હી : છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથી વધુ કંપનીએ બિઝનેસ બંધ કર્યો છે.જોકે, તેની સામે સાત લાખ નવી કંપની શરૂ થઈ છે.ડેટા સૂચવે છે કે, ૧ એપ્રિલ, ૨૦૧૬થી કુલ ૫,૦૦,૫૦૬ કંપનીએ બિઝનેસ બંધ કર્યો છે,પણ આ જ ગાળામાં કંપનીઝ એક્ટ, ૨૦૧૩ હેઠળ ૭,૧૭,૦૪૯ નવી કંપનીની નોંધણી થઈ છે.લોકસભાને સોમવારે લેખિત જવાબમાં કંપની બાબતોના રાજ્ય મંત્રી રાવ ઇન્દ્રજિત સિંઘે જણાવ્યું હતું કે, મંત્રાલય ઘટના આધારિત ડેટા રાખતું નથી.લોકસભામાં પ્રશ્ન પુછાયો હતો કે, નોટબંધી,જીએસટી અને કોવિડ મહામારીના ગાળામાં કેટલી કંપનીઓ બંધ થઈ? તેના જવાબમાં મંત્રીએ આ ટિપ્પણી કરી હતી.

૧ એપ્રિલ, ૨૦૨૧થી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૨૨,૫૫૭ કંપનીઓની નોંધણી રદ થઈ છે.તેની સામે નવી ૧,૦૯,૦૯૮ કંપની શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ કંપનીઓ ૨૦૧૭-’૧૮માં બંધ થઈ હતી અને તેનો આંકડો ૨,૩૬,૨૬૨ હતો. ૨૦૧૮-’૧૯માં ૧,૪૩,૨૩૩ કંપનીએ બિઝનેસ બંધ કર્યો હતો.સત્તાવાર માહિતી અનુસાર ૨૦૧૬-’૧૭માં ૧૨,૮૦૮ કંપની, ૨૦૧૯-’૨૦માં ૭૦,૯૭૨ કંપની અને ગયા નાણાકીય વર્ષમાં ૧૪,૬૭૪ કંપની બંધ થઈ હતી.

ડેટામાં જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ૧,૫૫,૩૭૭ અને ૨૦૧૯-’૨૦માં ૧,૨૨,૭૨૧ કંપનીની નોંધણી થઈ હતી. ૨૦૧૬-’૧૭માં આવી કંપનીઓની સંખ્યા ૯૭,૮૪૦ અને ૨૦૧૭-’૧૮માં ૧,૦૮,૦૭૫ હતી. ૨૦૧૮-’૧૯માં નોંધાયેલી નવી કંપનીઓની કુલ સંખ્યા ૧,૨૩,૯૩૮ હતી. સિંઘના જણાવ્યા અનુસાર કાયદા હેઠળ ‘બંધ કંપની’ની વ્યાખ્યા કરાઈ નથી.કાયદાની ચોક્કસ જોગવાઈ હેઠળ નિર્ધારિત પ્રક્રિયા પછી કંપનીની નોંધણી રદ કરાય છે.મંત્રીને એવો પણ પ્રશ્ન પુછાયો હતો કે, ભારતની બહાર કરાતી પ્રવૃત્તિઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોજેક્ટ તરીકે મંજૂરી આપી શકાય? મંત્રીએ તેનો ઇનકાર કર્યો હતો.

વર્ષ બંધ થયેલી કંપની
2021-22 22,557
2020-21 14,674
2019-20 70,972
2018-19 1,43,233
2017-18 2,34,262
2016-17 12,808

અફઘાનિસ્તાનમાં અંતિમ સંસ્કાર દરમિયાન આત્મઘાતી હુમલો, 24ના મોત
ઈસ્લાિમક કટ્ટરપંથીઓની ધમકીથી નવીન જિંદાલને પરિવાર સાથે દિલ્હી છોડવું પડ્યું
ડૉક્ટરનો દાવો- ભારતમાં આ કારણે નહીં વધે ડેથ રેટ
હમાસે બંધક બનાવેલા બે અમેરિકન મહિલાઓને 14 દિવસ બાદ મુક્ત કર્યા
અલીગઢમાં જનતા કરફ્યુ વચ્ચે પણ 500 મહિલાઓના CAAના વિરોધમાં ધરણા
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમે સેન્ટ્રલ વિસ્ટા અંગે કેન્દ્રનો જવાબ માગ્યો
Next Article 100 મંદિરને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up