By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત પાંડેસરા રેપ વિથ મર્ડર કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત પાંડેસરા રેપ વિથ મર્ડર કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા
GeneralSurat

સુરત પાંડેસરા રેપ વિથ મર્ડર કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

HM News
Last updated: 07/12/2021 8:23 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.સોમવારે જ સુરત કોર્ટે આરોપીને દોષિત હોવાનો ચુકાદો આપ્યો હતો.જો કે સજા આજે ફટકારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી.આ ઘટનામાં માત્ર 7 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.આ કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું.સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી.જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો.પોલીસે આરોપીને પણ ઝડપી લેવાયો હતો.

સોમવારે બંન્ને પક્ષકારોની દલીલો પુર્ણ થઇ હતી.કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો.જો કે સજા કોર્ટ દ્વારા કાલે ફટકારવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ કેસમાં ઝડપથી સુનાવણી કરી હતી.આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે.તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે.

જાણો શું હતી સમગ્ર ઘટના?

દિવાળીના દિવસે (4 નવેમ્બરે) દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું.મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો.આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી.પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ચકચારી કેસમાં પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં.બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું.આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.

આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ,બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું.બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા

4-નવેમ્બર દિવાળીના દિવસે માસૂમ બાળકી ગુમ, 7-નવેમ્બરે બાળકીનો મૃતદેહ મળ્યો, 8-નવેમ્બરે આરોપી ઝડપાયો, 15-નવેમ્બરે પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, 16-નવેમ્બરે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયા, 18-નવેમ્બરે કેસની સુનવણી શરૂ થઈ, 65 જેટલા શહેદો વચ્ચે 42ની જુબાની લેવાઈ હતી, 3 સાક્ષી મહત્વના પુરવાર થયા હતા.કુલ 6 સુનાવણીના અંતે 28 દિવસમાં ચુકાદો આવશે

અઢી વર્ષની બાળકીસાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુ કુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે.પરિવાર વતન બિહારના ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે.જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા GIDCની ડાઈંગ મીલમાં નોકરી કરે છે.પોલીસને આરોપીના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે.

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગાસનો કરશે
સ્મીમેરમાં કર્મચારી દારુના નશામાં હોવાની શંકાથી આરએમઓએ તતડાવ્યો
PM મોદી અને યોગીને મારી નાખવાની ધમકી, શું ફરી થશે 26/11 જેવો હુમલો?
અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા મોદી સરકાર આપશે વધુ એક બુસ્ટર ડોઝ, આવા પેકેજ પર થઈ રહી છે ચર્ચા
લોકડાઉનની : એપ્રિલથી બેન્કોની મર્જર પ્રક્રિયા લાગુ પડશે
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના અમરોલીમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, વેપારીઓ અને મનપા અધિકારીઓ વચ્ચે બબાલ
Next Article NRI અમિત પટેલની અમેરિકામાં ગોળી મારીને કરપીણ હત્યા, ત્રણ વર્ષની પુત્રીએ જન્મદિને જ છત્રછાયા ગુમાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up