– સુરત શહેરમાં 11 અને જિલ્લમાં 4 મળી એક જ દિવસમાં 15 પોઝિટીવ કેસ
સુરત : કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ લોકો ભયમાંથી બહાર આવ્યા હતા.તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવીને શહેરની મહત્તમ લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવાયો છે.દરમિયાન બુધવારે કેસની સંખ્યા વધી ગઇ હતી.ચાર મહિના બાદ સુરત શહેર 11 કેસ નોંધાયા છે.ગઇ તા.11 જુલાઇના રોજ સુરત સિટીમાં 11 કેસ નોંધાયા હતા.જ્યારે જિલ્લામાં 4 કેસ આજે નોંધાયા છે.સુરત શહેર અને જિલ્લામાં મળી કુલ 15 કેસ નોંધાવા સાથે કોરોનાની સારવાર લઇને 4 દર્દી સારા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા બાદ વિતેલા 6 મહિનાથી કેસની સંખ્યા ઘટી ગઇ છે.સંક્રમણ ઓછુ થવા સાથે આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનની કામગીરી ઝડપી બનાવીને મોટાભાગના લોકોને કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપી દેવાયો છે.દરમિયાન આજે બુધવારે શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા વધી હતી.સુરત સિટીમાં 11 અને જિલ્લામાં 4 મળી એક જ દિવસમાં 15 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં 1,44,101 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે શહેર જિલ્લામાં મળી અત્યાર સુધીમાં કુલ 1,41,945 દર્દીઓ સારા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.વિતેલા બે વર્ષના સમયગાળામાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 2117 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરે તે પણ જરૂરી છે.કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ ફરીથી સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સૂચન કરાયું છે.
ચાર મહિના બાદ શહેરમાં ડબલ ડિજીટમાં કેસ નોંધાયા
ગઇ તા.11 જુલાઇના રોજ સુરત સિટીમાં 11 કેસ નોંધાયા હતા.કોરોનાનું સંક્રમણ ઓછુ થતા શહેર અને જિલ્લામાં વિતેલા 6 મહિનામાં એકાદ બે કેસ નોંધાઇ રહ્યા હતા.દરમિયાન આજે કેસની સંખ્યા વધી ગઇ હતી.સુરત શહેરમાં 11 જુલાઇ બાદ આજે એક જ દિવસમાં ફરી 15 કેસ નોંધાયા છે.આજે પોઝિટીવ આવેલા કેસમાં બે વિદ્યાર્થીઓ,જુની સિવિલ હોસ્પિટલના એક તબીબ તેમજ હીરાના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો