[weather_data]
Breaking News
TRENDING NEWS

યોગી મઠમાં જશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? ઓવૈસીની પોલીસને ધમકી

[updated_date] [post_views]

Table of Content

પટના,તા.24.ડિસેમ્બર શુક્રવાર : AIMIMના આગેવાન અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો એક વિવાદીત વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે એક સભાને સંબોધન કરતી વખતે ધમકી આપતા નજરે પડી રહ્યા છે.

ઓવૈસી મંચ પરથી કહે છે કે,હું અહીંયા હાજર પોલીસ કર્મીઓને કહેવા માંગુ છું કે,મારી વાત યાદ રાખજો.હંમેશા યોગી તમારો મુખ્યમંત્રી નહી રહે અને મોદી વડાપ્રધાન નહીં રહે.અમે મુસ્લિમો અત્યારે ચૂપ છે પણ તમારા અત્યાચારો નહીં ભુલીએ.અલ્લાહ અને અમારી તાકાતથી તમને નેસ્તનાબૂદ કરીશું અને અમે યાદ રાખીશું.જ્યારે સ્થિતિ બદલાશે ત્યારે તમને કોણ બચાવવા આવશે? યોગી મઠમાં જતા રહેશે અને મોદી પહાડો પર જતા રહેશે ત્યારે તમને કોણ બચાવશે? અમે ભૂલવાના નથી.

ભાજપને આ નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યુ છે કે,ઓવૈસીના નાના ભાઈ પંદર મિનિટ માટે પોલીસ હટાવી લો તો અમે જોઈ લઈએ તેવી ધમકી આપે છે અને મોટા ભાઈ હવે પોલીસને જ ખુલ્લેઆમ ધમકી આપે છે.ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યુ હતુ કે,હરિદ્વારમાં થયેલા સંમેલનનો વિરોધ કરી રહેલા સેક્યુલર મહાનુભાવો ઓવૈસીની જિન્ના જેવી માનસિકતા પર ખામોશ છે.કારણકે હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે.

દરમિયાન યોગી આદિત્યનાથના મીડિયા સલાહકારે ઓવૈસી પર નિશાન સાધતા કહ્યુ છે કે,ગીધોના બૂમો પાડવાથી ગાયો મરતી નથી ઔવેસી સાહેબ,તાકાત તો પ્રભુ રામે બતાવી દીધી છે.હવે ગીધો કોઈ ભૂલ કરશે તો ભરપૂર ઈલાજ કરવામાં આવશે.

જ્યારે સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે,આ ધરતી પર જયારે જ્યારે બાબર અને ઔરંગઝેબ આવશે ત્યારે ત્યારે આ ધરતી પર શિવાજી અને રાણા પ્રતાપ પણ ઉભા થશે અને કોઈ મોદી અને યોગી બનીને પણ આવશે.

ઓવૈસીએ આ નિવેદન 12 ડિસેમ્બરે કાનપુરમાં આપ્યુ હોવાનુ કહેવાયુ છે.હવે તેમનુ નિવેદન વાયરલ થયુ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles