- દેશમાં આજથી 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે
દિલ્હી : દેશમાં આજથી 15થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.7.65 લાખ બાળકોએ સરકારની CoWin એપ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.આ તમામને Covaxin આપવામાં આવશે.શાળોની સલાહથી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં રસીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મોટી સંખ્યામાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો પણ રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.વર્ષ 2007 અને તેના પહેલા જન્મેલા બાળકો કોરોનાની રસી મેળવી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કિશોરોને માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે અને રસીના વધારાના ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે.25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 15-18 વર્ષની વય જૂથ માટે 3 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે.આ ઉપરાંત એવી જાહેરાત કરવામાં આવી હતી કે આરોગ્ય કર્મચારીઓ,ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય રોગોથી પીડિત વરિષ્ઠ નાગરિકોને 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,આ વર્ષે શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી હતી,જેના કારણે બાળકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યાં છે.ઘણી શાળાઓ,કોલેજો અને યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.હવે 15થી 18 વર્ષની વયના બાળકોને રસી મળતાં સંક્રમણનો ખતરો એક હદ સુધી ઘટી જશે.