- મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર્સે લતા મંગેશરના સ્વાસ્થ્ય અંગે રિપોર્ટ આપ્યો
મુંબઈ : યુગ પ્રવર્તક ગાયિકા લતા મંગેશકરને કોરોના સંક્રમણ થતા તેમને મુંબઈની બોલીવૂડની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.8 જાન્યુઆરીએ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.સાથે જ તેમને ન્યુમોનિયાની અસર પણ થઈ હતી.હોસ્પિટલ દ્વારા જણાવાયું છે કે લતા મંગેશકરની સારવાર માટે સૌથી ખાસ તબીબોની ટીમ તૈયાર કરવામાં આવી છે.ગત સપ્તાહથી તેઓ હોસ્પિટલમાં એડમિટ છે.ફેન્સ તેમના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.હાલમાં આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યા છે.પ્રવર્તમાન સમયે તેમને મળવાની કોઈને પણ મંજૂરી આપવામાં નથી આવી.
હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે હજુ થોડા દિવસ લતા મંગેશકરને હોસ્પિટલમાં રાખવામાં આવશે.તેમની તબીયત પહેલા જેવી છે અને ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર કરી રહેલા તબીબ પ્રતીત સમદાનીએ જણાવ્યું કે,લતા મંગેશકરને હજુ પણ દેખરેખ હેઠળ રાખવા પડે તેમ છે.હજુ કોઈને તેમને મળવાની મંજૂરી આપવામાં નથી આવી.
1929માં જન્મેલા લતા મંગેશકરને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સમ્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે.તેઓ ભારતીય ફિલ્મજગતના યુગ પ્રવર્તક ગાયિકા છે.તેમને સ્વર કોકિલાના નામેથી પણ ઓળખવામાં આવે છે.