પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ BJP સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ મંગળવારે પોતાની જ સરકાર પર નિશાનો સાધતા લોકસભામાં કહ્યું, સરકારની અંદર સંવાદહીનતાને કારણે તેમનું મન રડી રહ્યું છે. વાયુયાન સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રૂડીએ કહ્યું, પાયલટોને વિદેશોમાં પ્રશિક્ષણ આપવા માટે 50 કરોડ ડૉલર વાર્ષિક ખર્ચવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, દેશમાં માત્ર 250 પાયલટોના જ પ્રશિક્ષણની વ્યવસ્થા છે, જ્યારે દેશને વાર્ષિક એક હજાર પાયલટોની જરૂર છે. તેમણે કહ્યું, મુશ્કેલી એ છે કે, વિમાનના સેક્ટરના પ્રોબ્લેમ્સ વિશે કોઈપણ જાણવા નથી ઈચ્છતું. કોઈક દિવસ પ્રોબ્લેમ્સને જાણવાનો પ્રયત્ન તો કરો, આ સંવાદહીનતા પર મન રડી રહ્યું છે.
રૂડીએ કહ્યું, PM જે લગન સાથે પોતાને દેશ માટે ખપાવા માગે છે, અમે પણ દેશ માટે ખપવા તૈયાર છીએ. મને સંસદના 30 વર્ષનો અનુભવ છે. હવે તો રિટાયર થવાનો સમય આવી ગયો છે. રાજકીય કેરિયરના પોતાના અંતિમ 5 વર્ષોમાં છું હું. આ બધુ એટલા માટે કહી રહ્યો છું કે કદાચ કોઈ અમને સાંભળે.રૂડીએ આ પહેલા પટના એરપોર્ટ વિશે કહ્યું, ત્યાં પૈસા વેડફવામાં આવી રહ્યા છે. ત્યાં ગ્રીનફીલ્ડ એરપોર્ટની જરૂર હતી અને તે એક મોટું વિમાન હબ બની શકતું હતું, પરંતુ ત્યાં 4700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જેનાથી એક ટકા સંચાલન લાભ મળશે જે માત્ર પૈસાનો વેડફાટ છે. તેમણે કહ્યું, હું આ મામલા પર સરકાર સાથે છેલ્લાં 6 મહિનાથી વાત કરવા માગુ છું, પરંતુ સરકારમાં વિમર્શનો અભાવ છે, અનુભવી લોકોની અવગણના કરવામાં આવી રહી છે.