By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હૈદરાબાદના ગંટુરમાં આવેલા મહંમદ અલી જીણાના જીન્ના ટાવરનો વિવાદ શું છે ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હૈદરાબાદના ગંટુરમાં આવેલા મહંમદ અલી જીણાના જીન્ના ટાવરનો વિવાદ શું છે ?
GeneralNational

હૈદરાબાદના ગંટુરમાં આવેલા મહંમદ અલી જીણાના જીન્ના ટાવરનો વિવાદ શું છે ?

HM News
Last updated: 04/02/2022 6:48 AM
HM News
3 years ago
Share
SHARE

– જીન્નાએ ૧૯૪૧માં ગંટુરની મુલાકાત લીધી તેની સ્મૃતિમાં બનાવાયો હતો
– જીન્ના ટાવર તિંરગાથી રંગવામાં આવ્યો, લોકોએ નામ બદલવાની માંગ કરી

હૈદરાબાદ,૩ ફેબુ્આરી,૨૦૨૨,ગુરુવાર : તાજેતરમાં આંધ્રપ્રદેશના ગંટુરમાં જીન્ના ટાવરનો વિવાદ ઉભો થયો છે. જેની જીદના કારણે ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન બન્યું એ જીન્નાને ભારતની આઝાદીના ઇતિહાસમાં વિલન ગણવામાં આવે છે. ભારતમાં જેમનું નામ નફરતથી લેવાય છે તેમના નામનો ટાવર હોય એટલે વિવાદ થવો સ્વભાવિક છે પરંતુ નવાઇની વાત તો એ છે કે આ ટાવર આજકાલનો નથી ૭૬ વર્ષથી છે જેનું આટલા સમય પછી કેમ ધ્યાન પડયું એ જ નવાઇ પમાડે તેવી વાત છે.જિન્ના ટાવર સેંટર ૧૯૪૫થી ગંટુરના સ્થાનિકતંત્ર પાસે છે. આ સ્મારકને ઐતિહાસિક ઇમારત ગણવામાં આવે છે આથી સમયાંતરે સમારકામ પણ થતું રહે છે.

૧૯૪૧માં જીન્નાએ ગંટુરની મુલાકાત લીધી ત્યારે તેમની સ્મૃતિમાં આ ટાવર બનાવાયો હતો. જીન્નાએ એ સમયના સ્થાનિક આગેવાનોના આમંત્રણને માન આપીને મુંબઇથી ગંટુર પધાર્યા હતા.ગંટુરમાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું અને રેલી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વકતવ્ય પણ આપ્યું હતું.આ ટાવર પાસે રહેલું વેપાર ઉધોગ કેન્દ્રની ઇમારત સમગ્ર શહેરના હાર્દ સમાન ગણાય છે.

એવું માનવામાં આવે છે પાકિસ્તાનમાં પણ કેટલાકને ખબર પડી છે કે ભારતમાં ૭ લાખની વસ્તી ધરાવતા ગંટુર નામના નગરમાં પોતાના કાયદેઆઝમ ગણાતા જીન્નાના નામે ટાવર છે અને આવું ભારતમાં બીજે કયાંય જોવા મળતું નથી.એવું પણ માનવામાં આવે છે કે વાજપેયીના જમાનામાં પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ મુર્શરફ ભારત આવ્યા ત્યારે જિન્ના ટાવર અંગે માહિતી મેળવી હતી.એ સમયના સાંસદ લાલજન બાશાએ ટાવરની તસ્વીરો પાકિસ્તાનના ઉચ્ચાયોગને મોકલી હતી.જીન્ના ટાવરનું નામ બદલવાની માંગ ૧૯૯૯માં કારગિલ વોર દરમિયાન ઉઠી હતી પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.આ ટાવરને તાજેતરમાં તિરંગાના ત્રણ રંગ કેસરી,સફેદ અને લીલા રંગથી રંગી દેવામાં આવતા જીન્ના ટાવરના ફોટા સોશિયલ મીડિયામાં પણ શેર થવા લાગ્યા છે.

એટલું જ નહી સ્થાનિક વિધાનસભ્ય મોહંમદ મુસ્તફાએ ટાવર પર ઝંડો ફરકાવવાની પણ વાત કરી છે. ટાવરને તિરંગાથી રંગવાનું કારણ સદ્ભાવનું પ્રતિક ગણીને નામ બદલવાની માંગણી કરી રહેલાને શાંત પાડવાનું હતું પરંતુ હવે આનાથી વિવાદ શાંત પડવાના સ્થાને વકર્યો છે જેનું ધ્યાન ન હતું તેવા લોકોનું પણ ધ્યાન ખેંચાતા ટાવરનું નામ બદલવાની માંગ વધી રહી છે.કેટલાકે તો જીન્ના ટાવરનું નામ બદલીને એપીજે અબ્દૂલ કલામ કરવાની પણ માંગણી કરી છે.

રાજકોટમાં એકસાથે નોંધાયા 3 પોઝિટિવ કેસ : ગુજરાતમાં કુલ આંકડો 47
ફોન ટેપિંગ પ્રકરણ અંગે દેવેન્દ્ર ફડણવીસે પેનડ્રાઈવનો સ્ત્રોત જણાવવો જોઈએ : નવાબ મલિક
આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
ગેંગસ્ટર અબુ સાલેમની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો બાકી રાખ્યો
હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની અટકળો વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેને સંકેત આપ્યો
Share This Article
Facebook Email Print
Previous Article હિમાચલપ્રદેશનું કસોલ ગામ શા માટે મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે ?
Next Article મુંબઇના પ્રોવિડન્ડ ફંડ કાર્યાલયમાં ભ્રષ્ટાચાર પ્રકરણે સીબીઆઇની રેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up