By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત શહેરમાં કોરોનાના કુલ ૧૧ શંકાસ્પદ કેસ, ત્રણના રિપોર્ટ પેન્ડિંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત શહેરમાં કોરોનાના કુલ ૧૧ શંકાસ્પદ કેસ, ત્રણના રિપોર્ટ પેન્ડિંગ
GeneralGujarat NowSurat

સુરત શહેરમાં કોરોનાના કુલ ૧૧ શંકાસ્પદ કેસ, ત્રણના રિપોર્ટ પેન્ડિંગ

HM News
Last updated: 19/03/2020 9:14 AM
HM News
5 years ago
Share
SHARE

। સુરત ।

કોરોના વાઈરસના હાઉ વચ્ચે શહેરમાં દિનપ્રતિદિન શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. પખવાડિયા અગાઉ મહારાષ્ટ્ર, નાગપુર ખાતે કોરોના વાઈરસમાં સપડાયેલા સંબંધીને મળીને આવેલા પાલના યુવકમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા, જેને પગલે તેને સિવિલમાં દાખલ કરી સેમ્પલ લઈ તપાસ માટે મોકલવા સાથે સારવાર શરૂ કરાઈ છે. કોરોના વાઈરસના વધુ એક શંકાસ્પદ કેસ સાથે દર્દીઓની સંખ્યા ૧૧ થઈ છે. જે પૈકી ત્રણના રિપોર્ટ પેન્ડિંગ છે.

લંડનથી પરત ફરેલી યુવતીનો રિપોર્ટ ત્રીજા દિવસે પણ પેન્ડિંગ

લંડનથી પરત ફરેલી પારલે પોઈન્ટની યુવતીને શરદી-કફ, તાવની તકલીફ સાથે સિવિલમાં ખસેડાઈ હતી. શંકાસ્પદ કોરોના વાઇરસના લક્ષણોને લીધે તેણીના સેમ્પલ લઈ તપાસ માટે અમદાવાદ મોકલી સારવાર શરૂ કરાઈ છે. જોકે, ત્રણ દિવસ પછી પણ રિપોર્ટ નહીં આવતા તબીબો પણ મુંઝવણમાં મુકાયા છે. સૂત્રોના કહેવા મુજબ આ યુવતીના સેમ્પલ રિ-રન કરાયા છે. કોઈ ટેકનિકલ ત્રુટી રહી જવાને કારણે સેમ્પલ રિ-રન કરાયું હોવાની શક્યતા છે. મંગળવારે દાખલ કરાયેલા દર્દીનો પણ રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ, સુરત શહેરના ત્રણ દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે, જે ગુરુવારે આવી જવાની શક્યતા છે.

અજમેર ઈન્ટરસિટી, ભગતકી કોઠી ૩૧મી સુધી રજ, તેજસ એક્સપ્રેસ અનિશ્ચિત મુદત માટે રદ

કોરોના વાઈરસના કારણે દેશની અનેક ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. અમદાવાદથી અજમેર જતી અજમેર ઈન્ટરસીટીને પણ આગામી ૩૧મી માર્ચ સુધી રદ કરવામાં આવી છે. ટ્રેન રદ કરવા પાછળનુ કારણ જણાવતા રેલવેના અધિકારીએ કહે છે કે, હાલમાં ટ્રેનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઘટી ગયા છે. જેથી ટ્રેનો રદ કરવામાં આવી રહી છે, જેમાં અજમેર ઈન્ટરસીટ ટ્રેન પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ ટ્રેન ૨૪મી માર્ચે અમદાવાદથી અને ૨૫મી માર્ચે અજમેરથી ચાલશે. આ સિવાયના દિવસોમાં રદ રહશે. આ સિવાય સાબરમતી-ભગતકી કોઠી ટ્રેન પણ ૩૧મી સુધી રદ કરાઈ છે. અમદાવાદથી મુંબઈ માટે શરૂ કરેલી તેજસ એક્સપ્રેસ પણ અનિશ્ચિત મૂદત માટે રદ કરવામાં આવી છે.

સચિવાલયમાં પત્રાચાર ઓછો, ઈ-મેલનો વ્યવહાર કરોઃ GAD

GADએ સચિવાલયમાં અધિકારીઓ- કર્મચારીઓને કોરોના વાઈરસથી બચવા પત્રચારને બદલે ઈ- મેલથી વ્યવહાર કરવા પરિપત્ર જાહેર કર્યો છે ! GADએ દરેક વિભાગોની શાખાઓને ટપાલનો સ્વિકાર તેમજ પહોંચ રજિસ્ટ્રીના એન્ટ્રી પોઈન્ટ અને દરેક બ્લોકના એન્ટ્રી પોઈન્ટ ઉપર ખાસ સેનિટાઈઝર મુકવા આદેશો કર્યા છે. એટલુ જ નહી, સરકારી અધિકારીઓને રૂબરૂ મુલાકાતો ટાળીને વિડિયો કોન્ફરન્સનુ આયોજન કરવા તેમજ ફ્લૂ જેવા લક્ષણો હોય તો સેલ્ફ ક્વોરન્ટાઈન રહેવા રજા ઉપર ઉતરી જવા પણ કહેવામાં આવ્યુ છે.

SMCમાં 3567 કર્મચારી- અધિકારીઓની જગ્યા કાયમી ધોરણે ભરવા નિર્ણય
૧૦ મિનિટમાં એટીએમ તોડીને રૂપિયા સાથે ફ્લાઇટમાં ફરાર થતી ગૅન્ગ પકડાઈ
લૉકડાઉનમાં પોલીસ કોઈપણ વ્યક્તિનાં વાહન જપ્ત ન કરે : હાર્દિક પટેલ
દક્ષિણ ભારતના એક થીમ પાર્કમાં કમલા નામની તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી
ચારેકોરથી ભરાયું ચીન, હવે ઑસ્ટ્રેલિયાની ‘રણમેદાન’માં એન્ટ્રી- સેનાએ ગાળિયો કસવાનું કર્યું શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article શિક્ષણ વિભાગના અધિકારીએ સોશિયલ મીડિયામાં એવો બિભત્સ વીડિયો શેર કર્યો કે…
Next Article ભાજપ શાસિત આઠ મ્યુનિ. કોર્પો.ને ગ્રાન્ટ વધારો નહીં મળવા છતાં ચૂપકીદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up