નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી, 2022, બુધવાર : જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે અનંતનાગમાં જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ કાશ્મીરમાં 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર હિમવર્ષાના કારણે વાહનવ્યવહાર ઠપ ગયો છે. BROના અધિકારીઓએ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરી હતી.સતત હિમવર્ષાને કારણે ટ્રાફિક જામ દૂર કરવામાં CRPFના જવાનો સ્થાનિક લોકોને મદદરૂપ થઈ રહ્યા છે.