By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાને પગલે બે વર્ષ સુધી સ્થગિત કરાયેલા ૧૫૬ દેશોના ઇ-વિઝા ફરીથી શરૃ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાને પગલે બે વર્ષ સુધી સ્થગિત કરાયેલા ૧૫૬ દેશોના ઇ-વિઝા ફરીથી શરૃ
GeneralNational

કોરોનાને પગલે બે વર્ષ સુધી સ્થગિત કરાયેલા ૧૫૬ દેશોના ઇ-વિઝા ફરીથી શરૃ

HM News
Last updated: 17/03/2022 5:37 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬ : ભારતે કોવિડ-૧૯ મહામારીને પગલે બે વર્ષ સુધી સ્થગિત રાખવામાં આવ્યા પછી ૧૫૬ દેશોના નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય પાંચ વર્ષીય ઇ-ટુરિસ્ટ વિઝા અને તમામ દેશોના નાગરિકોને નિયમિત રેગ્યુલર પેપર વિઝાને તાત્કાલિક અસરથી શરૃ કરી દીધા છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું ક હાલમાં અમેરિકા અને જાપાનના નાગરિકોને જારી કરવામાં આવેલા તમામ માન્ય લાંબા ગાળા(૧૦ વર્ષ)ના રેગ્યુલર વિઝિટર વિઝા પણ બહાલ કરી દેવામાં આવ્યા છે. અમેરિકા અને જાપાનના નાગરિકોે માટે નવા ૧૦ વર્ષના રેગ્યુલર વિઝિટર વિઝા પણ ઇશ્યુ કરવામાં આવશે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર માર્ચ-૨૦૨૦થી સસ્પેન્ડ કરવામાં આવેલા ૧૫૬ દેશોના નાગરિકો માટેના પાંચ વર્ષના ઇ ટુરિસ્ટ વિઝા બહાલ કરી દેવામાં આવ્યા છે.વિઝા મેન્યુઅલ, ૨૦૧૯ અનુસાર ૧૫૬ દેશોના નાગરિકો માટે નવા ઇ ટુરિસ્ટ વિઝા પણ ઇશ્યુ કરવામાં આવશે.

માર્ચ, ૨૦૨૦થી સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ વર્ષની વેલિડિટી સાથે તમામ દેશોના વિદેશી નાગરિકોને જારી કરવામા આવેલા રેગ્યુલર પેપર ટુરિસ્ટ વિઝા પણ બહાલ કરી દેવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે માન્ય દેશોના નાગરિકોને સમય સમય પર લગાવવામાં આવતા પ્રતિબંધને આધીન પાંચ વર્ષની વેલિડિટીવાળા નવા નવા રેગ્યુલર પેપર ટુરિસ્ટ વિઝા પણ જારી કરવામાં આવશે.

ટુરિસ્ટ અને ઇ ટુરિસ્ટ વિઝા પર વિદેશી નાગરિકો ભારતમાં ફક્ત ડેઝિગનેટેડ સી ઇમિગ્રેશન ચેક પોસ્ટ(આઇપી) અથવા એરપોર્ટના આઇસીપી માધ્યમથી જ પ્રવેશી શકશે. જેમાં વંદે ભારત મિશન,એર બબલ, ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ફલાઇટો સામેલ છે.કોઇ પણ વિદેશી નાગરિકને જમીન સરહદે થી નદી માર્ગેથી ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

અમદાવાદમાં રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા, ત્રણ રથને અપાશે ત્રણ લેયરની સુરક્ષા
સુરતના કામરેજ ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ ઉધરાવતા સ્થાનિકો વિફર્યા
મચ્છરઃ ફોગિંગ અને દવા છંટકાવમાં ગોટાળા છતાં 6 કરોડનો ધુમાડો કરાશે
મુંબઈમાં ખાનગી કારોની સંખ્યા 12 લાખથી વધુઃ દર કિલોમીટરે 2150 વાહનો
Ukraine War: યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ભારતીય લોકો સહિત હજારો લોકોનો જમાવડો, પંદર કિમી લાંબી વાહનોની લાઈન
Share This Article
Facebook Email Print
Previous Article ભાવ વધવાની શક્યતાને પગલે ૧ થી ૧૫ માર્ચ સુધીમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં વધારો
Next Article ભારતના રોડ 2024 સુધીમાં અમેરિકા જેવા બનાવી દઇશું : ગડકરીનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up