નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022 રવિવાર : વેક્સિનેશન પર ભારતની ટોચની સંસ્થા એનટીએજીઆઈ એ કોવિડ-19 રોધી વેક્સિન કોવિશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના આઠથી 16 સપ્તાહ વચ્ચે આપવાની ભલામણ કરી છે. સત્તાકીય સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી.વર્તમાનમાં કોવિશીલ્ડનો બીજો ડોઝ રાષ્ટ્રીય કોવિડ-19 વેક્સિનેશન રણનીતિ હેઠળ પહેલા ડોઝના 12-16 સપ્તાહ વચ્ચે આપવામાં આવે છે.
એનટીએજીઆઈએ હજુ સુધી ભારત બાયોટેકના કોવેક્સિનનો ડોઝ આપવાના સમયમાં કોઈ પરિવર્તનની ભલામણ કરી નથી,જેનો બીજો ડોઝ પહેલા ડોઝના 28 દિવસ બાદ જ આપવામાં આવે છે.કોવિશીલ્ડ વિશે ભલામણને હજુ સુધી રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં લાગુ કરવામાં આવ્યો નથી.એક સત્તાકીય સૂત્રએ કહ્યુ,એનટીએજીઆઈની નવીનતમ ભલામણ પ્રોગ્રામેટિક ડેટાથી પ્રાપ્ત વર્તમાન વૈશ્વિક વૈજ્ઞાનિક સાક્ષ્ય પર આધારિત છે.
આ અનુસાર જ્યારે કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ સપ્તાહ બાદ આપવામાં આવે છે તો ઉત્પન્ન એન્ટીબોડી પ્રતિક્રિયા લગભગ 12થી 16 સપ્તાહના અંતરાલ પર ડોઝ આપવા સમાન હોય છે.સૂત્રએ કહ્યુ કે કેટલાક દેશોમાં કોવિડ-19 ના વધતા કેસની વચ્ચે આ નિર્ણયથી બાકીના છ થી સાત કરોડ લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ મળી જશે.