કોરોના વાયરસના રાજ્યમાં 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમ જેમ દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવાનું પ્રમાણ વધ્યું છે. આ અંગે આજે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે અફવા ફેલાવી અને લોકોમાં ભય ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને કોરોનાટાઈન કરવામાં આવ્યા છે તે પણ જો આદેશનું પાલન નહીં કરે અને બહાર અન્ય લોકો વચ્ચે જશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.